Only Gujarat

National

લગ્નને હજી વર્ષ પણ નહોતું થયું ને પત્ની પંખા સાથે લટકી ગઈ

ગુનાના ફતેહગઢમાં રહેતી મહિલાએ શનિવારે સાડીનો ફંદો બનાવીને પંખા સાથે બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો. આપઘાત કરતાં પહેલાં તેણે રૂમની દિવાલ પર સ્યુસાઇડ નોટ લખી હતી, જેમાં તેણે તેના પતિ પર અન્ય મહિલા સાથે પ્રેમસંબંધ હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. તેણે કહ્યું, તેમનો પુત્ર પણ સાક્ષી છે અને મોબાઇલમાં એક રેકોર્ડિંગ પણ છે.


તેણે લખ્યું- તેણે મને જીવતા જીવ મારી નાખી….
42 વર્ષીય ઉમા ઉર્ફે જ્યોતિ અગ્રવાલે લખ્યું, ” દીપક અગ્રવાલ સાથે મારા લગ્ન થયાંને એક વર્ષ થઈ ગયું છે. હું આ ૧૧ મહિનામાં એકપણ દિવસ સુખી નહોતી રહી. તે ના તો મારી સાથે સરખી રીતે બોલતો કે ના તો મારી સાથે સરખી રીતે વાત કરતો. રાત્રે 12 વાગ્યે સૂવા માટે રુમમાં આવતો ને 2 મિનિટ વાત કર્યા પછી સૂઈ જતો. કોટાની હિનાએ મને બરબાદ કરી નાખી. તેને મારા પતિ સાથે સંબંધ છે. તેણે મારું ઘર તોડી નાખ્યું. તેને છોડશો નહીં, તેને પકડો, હિનાને કડકમાં કડક સજા કરો. મારા પુત્ર કે જેનું નામ વિનોદ છે તેને સંપૂર્ણ અધિકાર મળવો જોઈએ. અહીં કોઈ નહિ રહે, તે ઈન્દોરમાં જ રહેશે. તેની કોટાવાળી સાથે વાત કરતી એક રેકોર્ડિંગ મારી પાસે છે.


તે દર મહિને તેની પાસે જતો અને તેની સાથે તમામ પ્રકારના સંબંધો રાખતો. મારા પતિએ ક્યારેય મારી સાથે પ્રેમથી વાત કરી નથી, ક્યારેય મને ખવડાવ્યું નથી. સૂવા માટે રાતે ઘરે આવે અને સવારે જતો રહે. આ લોકોએ મને જીવતે જીવ મારી નાખી. આ લોકોએ મને સખત માર માર્યો. મારી પાસેથી મારું બધુ જ લઈ લીધું. મારું બાળક તે બધું જ જાણે છે. મારા મોબાઇલમાં પણ તેમની સામેના તમામ પુરાવા છે.


બંનેએ બીજા લગ્ન કર્યા હતા
મૂળ કુંભરાજની ઉમાના આ બીજા લગ્ન હતા. તેને પહેલા પતિથી 16 વર્ષનો પુત્ર છે. તેના લગ્ન 11 મહિના પહેલા ફતેહગઢના રહેવાસી દીપક અગ્રવાલ સાથે થયા હતા. દીપકના પણ આ બીજા લગ્ન હતા. તે ફતેહગઢમાં જંતુનાશક દવા વેચવાનું કામ કરે છે. લગ્ન બાદ થોડા દિવસો સુધી બધુ બરાબર ચાલ્યું, પરંતુ થોડા દિવસો બાદ બંને વચ્ચે અણબનાવ થવા લાગ્યો. ત્યારબાદ શનિવારે સવારે મહિલાએ પોતાના ઘરમાં જ ફાંસો ખાઈ લીધો હતો. માહિતી મળ્યા બાદ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.


હું આઠ દિવસ પહેલાં જ પાછો આવ્યો
ઈન્દોરમાં રહેતા ઉમાના ભાઈએ જણાવ્યું કે, શુક્રવારે સાંજે તેની બહેન સાથે વાત થઈ હતી. એવું જ તેણે કહ્યું કે, ‘ભાઈ, અહીંયા બધા મને ખૂબ જ હેરાન કરે છે.’ આ સાંભળી તેણે તેને કહ્યું કે, કાલે સવારે આવીને લઈ જશે ને પછી એસ.પી.ને ફરિયાદ કરવા જશું. ભાઈએ કહ્યું કે, પહેલાં પણ ઘણી લડાઈ થઈ હતી. ચાર મહિના પહેલા ઝઘડો થયો ત્યારે બનેવી તેની બહેનને ઈન્દોરમાં મૂકી ગયા હતા. આઠ દિવસ પહેલાં એણે પાછો ફોન કર્યો અને તેણે કહ્યું કે, આ બાળકની પરીક્ષા ચાલુ છે, તેથી પાછા આવી જાવ. આઠ દિવસ પહેલા જ તે ઈન્દોરથી ફતેહગઢ પહોંચી હતી.

You cannot copy content of this page