અત્યારસુધી તો તમે સાંભળ્યું હશે કે જ્યારે પરિવારમાં વધુ ઘરેલું કલેહ થઇ જાય તો વ્યક્તિ આત્મહત્યા કરી લે અથવા ઘર છોડી ભાગી જાય. પરંતુ રાજસ્થાનમાં એક ચોંકાવનારો કિસ્સામાં આવ્યો છે. જેને સાંભળી જજથી લઇને સામાન્ય નાગરિક પણ હેરાન છે. અહીં એક યુવક પોતાની પત્નીથી પરેશાન થઇને કિન્નર બની ગયો.
આ અનોખી ઘટના જોધપુરની ફેમિલી કોર્ટમાં શનિવાર 22 ઓગસ્ટે સામે આવી. અહીં લગ્નના 13 વર્ષ બાદ પતિ-પત્ની પરસ્પર સહમતીથી અલગ થઇ ગયા. બંનેની તલાકની અરજીને કોર્ટમાં મંજુરી આપવામાં આવી. બંનેનો એક 11 વર્ષનો પુત્ર પણ છે. યુવકે વર્ષ 2017માં કોર્ટમાં છૂટાછેડાની અરજી પણ કરી હતી. લોક અધાલતની બેંચ ફેમિલી કોર્ટના જજ મહેન્દ્રકુમાર સિંઘવ તથા અધિવક્તા દિનદયાલ પુરોહિતે બંનેની કાઉન્સિલિંગ કરી અને તેઓને સમજાવ્યા હતા પરંતુ તેમ છતા પણ તેઓ સાથે રહેવા તૈયાર ન હતા.
ઉલ્લેખનીય છે કે જોધપુરના ગુલઝારપુરાના રહેવાસી વાલા મોહમ્મદ ઇરફાન (કાલ્પનિક નામ)ના લગ્ન 2007માં અજમેરમાં રહેતી યુવતી સાથે નિકાહ થયા હતા. બંને પરસ્પર મામા-ફૂઇના બાળકો છે. લગ્નના એક-બે વર્ષ તો બધુ ઠીકઠીક ચાલ્યું પરંતુ જ્યારે એક પુત્ર થયો તો બંનેમાં અવાર નવાર ઝઘડો થવા લાગ્યો. વિવાદ એટલો વધી ગયો કે તેઓ એકબીજાનું મોઢું જોવા પણ રાજી ન હતા અને વાત પણ કરતાં ન હતા.
પતિએ આરોપ લગાવ્યો કે તેની પત્નીનું અફેર ચાલતું હતું. પત્ની રોજ મને શરમજનક મેણા મારતી હતી. જેના કારણે હું પરેશાન થઇ ગયો હતો. તો પત્નીએ પણ યુવક વિરુદ્ધ ગંભીર આરોપ લગાવતા કહ્યું કે પતિ કોઇ કામ કરતો ન હતો જેમ તેમ કરી ઘર ખર્ચ ચલાવતો હતો. આ કારણે બંને અલગ રહેવા લાગ્યા હતા.
આ દરમિયાન એક દિવસ યુવકે પોતાને કિન્નર બનાવી લીધો અને રીટા બાઇને પોતાના ગુરુ બનાવ્યા. થોડા સમય સુધી પત્નીને આ અંગે જાણ થઇ નહીં પરંતુ જ્યારે 2014માં વિવાદ વધી ગયો તો તેણે પોતાને કિન્નર બનવાની વાત પત્નીને જણાવી દીધી.