Only Gujarat

FEATURED National

પતિ ગયો બહાર ને આવ્યા મોતના સમાચાર, પત્નીનો સંસાર તો હજી માંડ થયો હતો શરૂ!

ગુરદાસપુર, પંજાબઃ કોઈ પ્રેમિકા માટે જીવનમાં સૌથી મોટો આઘાત ક્યો હોઈ શકે કે જીવનની નવી શરૂઆતના થોડા દિવસોમાં જ સુહાગ ઉજડી જાય. આ છોકરી સાથે એવું જ થયું. 15 દિવસ પહેલા જ લવ મેરેજ કર્યા હતા. પહેલી વાર પતિ સાથે સાસરે આવી હતી. પતિ સામાન લેવા માટે બહાર ગયો. સમાચાર મળ્યા કે તેનું અકસ્માતમાં મોત થઈ ગયું છે. આ સમાચારથી પ્રેમિકા તૂટી ગઈ છે. આશંકા છે કે કોઈ અજાણ્યું વાહન તેને ટક્કર મારીને જતું રહ્યું.

યુવકનો મૃતદેહ ગુરદાસપુરથી થોડે દૂર મંગલસેન ગામમાં રસ્તાને કિનારે એક ખેતરમાં પડ્યો હતો. જોઢા છત્રાં પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ એએસઆઈ કુલદીપ સિંહે જણાવ્યું કે સતનામ કુમાર ગુરુવારે (10 સપ્ટેમ્બર) રાત્રે વાહન પર કેટલોક સામાન લેવા ગયો હતો. યુવકની બહેન પ્રીતિએ જણાવ્યું હતું કે તેણે ચંદીગઢ જઈને નબીપુરની પ્રેમિકા સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. કેટલાક દિવસો પહેલા જ તે ઘરે આવ્યો હતો. ગુરુવારે સાંજે 8 વાગ્યાની આસપાસ તે સામાન લેવા ગયો હતો. જો કે બહેન ભાઈના મોત પર સવાલો ઉભા કરી રહી છે. તે હત્યાનો મામલો ગણાવી રહી છે.

સતનામ ઉર્ફ સન્ની કોર્ટ મેરેજ કર્યાના 3 દિવસ પહેલા જ પોતાના ઘરે પાછો આવ્યો હતો. જ્યારે તે ઘરેથી નિકળ્યા બાદ મોડી રાત સુધી ઘરે ના આવ્યો તો પ્રેમિકાએ તેને અનેક વાર ફોન કર્યા. આ વચ્ચે પોલીસે જણાવ્યું કે તેનો એક્સિડેન્ટ થયો હતો.

પોલીસની પ્રારંભિક તપાસમાં સન્નીના માથામાં ઈજાના નિશાન મળ્યા છે. તેની આંખોમાં સોજો આવેલો હતો અને ભૂરી પડી ગઈ હતી. પોસ્ટ મોર્ટમમાં પગ પર ઉંડો ઘા જોવા મળ્યો હતો. આવો ઘા કોઈ હથિયારથી પ્રહાર કરવામાં આવે તો થતો હોય છે. એટલે પોલીસ હત્યાની આશંકા સાથે પણ તપાસ કરી રહી છે.

સન્નીની બહેન નીતૂએ જણાવ્યું કે તેમના પિતાનું એક વર્ષ પહેલા નિધન થયું હતું. તેનો ભાઈ જ આખા પરિવારને સંભાળતો હતો. તેની ચાર બહેનો છે, જેમાંથી ત્રણના લગ્ન થઈ ગયા છે.સન્ની પ્રાઈવેટ કંપનીમાં જોબ કરતો હતો. સન્નીના મોતથી તેની પ્રેમિકાને આઘાત લાગ્યો છે. તે મોબાઈલમાં પોતાના લગ્નનો ફોટો જોતી રહી. પરિવારજનોએ જણાવ્યું કે સન્નીની કોઈ સાથે દુશ્મની નહોતી. હાલ પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.

You cannot copy content of this page