પાનીપતઃ આ મહિલાને ક્યાં ખબર હતી કે, ડિવોર્સ બાદ પતિ સાથેની મુલાકાત જીવનભર માટે પસ્તાવો સાબિત થશે. લગ્ન બાદ દરેક વાયદાને ભૂલી જનાર પતિ પર વારંવાર વિશ્વાસ કરવો આખરે મહિલાને ભારે પડ્યો. આ વિશ્વાસ જ તેના મોતનું કારણ બની ગયો. મહિલાનો 15 ઓગસ્ટે નહેરમાંથી મૃતદેહ મળ્યો. જો કે આ સમયે પતિ એ એવું નાટક કર્યું કે, પત્નીએ જાતે જ નહેરમાં ઝંપલાવ્યું હતું. તપાસમાં સામે આવ્યું છે કે, પતિએ બધી પ્રોપર્ટી પોતાના નામ કરવા માટે પત્નીની હત્યા કરી દીધી હતી.
હરિયાણાના પાનીપતમાં ડિવોર્સ બાદ પણ પતિ પર વિશ્વાસ કરીને મહિલાએ પોતાનું જીવન ગુમાવવાનો વારો આવ્યો છે. જો કે આ ઘટના બાદ પતિએ નાટક કર્યું હતું કે, મહિલાએ જાતે જ નહેરમાં ઝંપલાવ્યું હતું. પતિ પર આરોપ છે કે, તે બધી જ પ્રોપર્ટી પોતાના નામ કરાવવા ઇચ્છતો હોવાથી પત્નીની હત્યા કરી દીધી. આ આરોપી દોરોનો વ્યાપાર કરે છે અને આરોપી પતિએ ડિવોર્સ બાદ સમાધાન માટે પત્નીને 5.50 લાખ રૂપિયા આપવાના બહાને બોલાવી હતી.
સાળાએ જણાવી જીજાની કરતૂતઃ 40 વર્ષિય રીટાના લગ્ન 22 મે 2004માં સોનીપતની સિવનકા ગામના નિવાસી જોગિંદ સાથે થયા હતા. બંનેને બે સંતાન હર્ષિત તથા રિચા છે. રીટાના ભાઇ રાજેશે ફરિયાદ કરી છે કે તેમના જીજાએ બહેનની હત્યા કરી દીધી હતી. જીજાના અન્ય મહિલા સાથે આડા સંબંધ હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અન્ય સ્ત્રી સાથે સંબંધો હોવાથી બંને વચ્ચે ઝઘડા ચાલતા હતા.
જો કે 10 ઓગસ્ટે ડિવોર્સ બાદ સમાધાન થઇ ગયું હતું. આરોપીએ મૃતક મહિલાને 5.50 લાખ રૂપિયા આપવાના બહાને બોલાવી હતી ત્યારબાદ તે સ્કૂટીમાં તેને બેસાડીને રોહતક નહેર લઇ ગયો. અહીં તેણે પત્નીને નહેરમાં ફેંકી દીધી. ત્યારબાદ આરોપીએ તેમના સાળાને ફોન કર્યો કે તેમની બહેન નથી મળી રહી.
તપાસ કરતા સામે આવ્યું છે કે, રીટાની દીકરી રીચાએ જણાવ્યું કે, બંને વચ્ચે પૈસાની લેવડ દેવડને લઇને ઝઘડા થતાં હતા. આરોપી તેમની દીકરીને પણ નહેર સુધી ગઇ ગયો હતો. હત્યાનું કાવતરા મુજબ તેણે જાણી જોઇને સ્કૂટી નહેરમાં પાડી દીધી હતી.
ત્યારબાદ બૂમો પાડવા લાગ્યો, લોકોની મદદથી રીચાને તો બચાવી શકાઈ પરંતુ રીટા ન બચી શકી. તો બીજી તરફ આરોપી તરીને નહેરમાંથી બહાર આવ્યો હતો. મૃતકના ભાઇ રાજેશ આરોપી જીજા સામે હત્યાનો ગુનો નોંધાવીને ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.