Only Gujarat

Bollywood

સલમાનની Ex ભાભીએ ડિવોર્સના બદલે પતિ પાસેથી લીધા હતા 15 કરોડ રૂપિયા

બોલિવૂડની હોટ અભિનેત્રી મલાઈકા અરોરા 23 ઑક્ટોબરે પોતાનો 47મો જન્મદિવસ મનાવી રહી છે. મલાઈકા પોતાના સ્ટાઈલિશ અંદાજ અને અર્જુન કપૂર સાથેના અફેરને લઈને સમાચારોમાં રહે છે. પરંતુ અરબાઝ ખાન સાથેના તેના છૂટાછેડા પણ એક સમયે ખૂબ જ ચર્ચામાં રહ્યા હતા. આ ઉપરાંત મલાઈકા આજે પણ અનેક બાબતોને કારણે ચર્ચામાં રહે છે.

2017માં બંનેએ તેના 19 વર્ષ જૂના સંબંધને ખતમ કર્યા હતા. જે બાદ મલાઈકાએ કરીના કપૂરના ચેટ શો વૉટ વીમેન વૉન્ટમાં પહેલી વાર પોતાના છૂટાછેડા પર વાત કરી હતી. તેણે એ પણ જણાવ્યું કે, જ્યારે કોર્ટમાં છૂટાછેડાની અરજી પર સુનાવણી થવાની હતી, તેના ઠીક પહેલા રાત્રે તેમની શું સ્થિતિ હતી.

2017માં બંનેએ તેના 19 વર્ષ જૂના સંબંધને ખતમ કર્યા હતા. જે બાદ મલાઈકાએ કરીના કપૂરના ચેટ શો વૉટ વીમેન વૉન્ટમાં પહેલી વાર પોતાના છૂટાછેડા પર વાત કરી હતી. તેણે એ પણ જણાવ્યું કે, જ્યારે કોર્ટમાં છૂટાછેડાની અરજી પર સુનાવણી થવાની હતી, તેના ઠીક પહેલા રાત્રે તેમની શું સ્થિતિ હતી.

મલાઈકાએ આગળ કહ્યું કે, “છૂટાછેડા પહેલા આખો પરિવાર રાત્રે મારી સાથે બેઠો અને ફરી પુછ્યું કે, શું તો શ્યોર છે. તું 100 ટકા તારા નિર્ણય પર અડગ છે? હું આવું લાંબા સમયથી વિચારતી હતી અને મને લાગતું હતું કે આ એ લોકો છે, જેમને મારી ચિંતા અને પરવા છે. જેથી તેઓ એવું કહેશે એ સ્પષ્ટ છે”.

મલાઈકાએ બેસ્ટ એડવાઈસ વિશે કહ્યું કે, “સૌથી સારી સલાહ હતી કે લોકોએ કહ્યું કે, તે જે નિર્ણય લીધો છે, તેનાથી અમને તારા પર ગર્વ છે. તું સશક્ત મહિલા છે. મને લાગે છે કે હું ખરેખર એવી છું. જો તમે તમારી મેરિડ લાઈફમાં ખુશ નથી તો તમારે તમારી ડિગ્નિટી, સેલ્ફ રિસ્પેક્ટ માટે એ કરવું જોઈએ, જે તમે કરી શકો છે. મે પહેલા ક્યારેય આ વિશે વાત નહોતી કરી”.

મલાઈકાએ બેસ્ટ એડવાઈસ વિશે કહ્યું કે, “સૌથી સારી સલાહ હતી કે લોકોએ કહ્યું કે, તે જે નિર્ણય લીધો છે, તેનાથી અમને તારા પર ગર્વ છે. તું સશક્ત મહિલા છે. મને લાગે છે કે હું ખરેખર એવી છું. જો તમે તમારી મેરિડ લાઈફમાં ખુશ નથી તો તમારે તમારી ડિગ્નિટી, સેલ્ફ રિસ્પેક્ટ માટે એ કરવું જોઈએ, જે તમે કરી શકો છે. મે પહેલા ક્યારેય આ વિશે વાત નહોતી કરી”.

મલાઈકાએ છૂટાછેડા પછીની લાઈફને લઈને કહ્યું કે, “પહેલીવાર તમે આઝાદી મહેસૂસ કરો છો. નવા લોકોને મળો છો. તમારા બેડ પર એકલા સુઓ છો. એ પણ એક પ્રકારે નવી વાત હોય છે. તે રિફ્રેશિંગ હોય છે કે તમારે તમારો બેડ, સ્પેસ કોઈ સાથે શેર નથી કરવો પડી રહ્યો”.

2017માં થયા છૂટાછેડા
અરબાઝ અને મલાઈકાના ડિવોર્સ 2017માં થયા હતા. એક ઈન્ટરવ્યૂ દરમિયાન અરબાઝે મલાઈકા સાથેના સંબંધો પર વાત કરી હતી. તેના પ્રમાણે, તેમને ખબર નહોતી કે એક પરફેક્ટ સંબંધ શું હોય છે. તેણે કહ્યં હતું કે, મે મારા સંબંધને 19 વર્ષ સુધી બચાવવાનો પ્રયાસ કર્યો પરંતુ હું સફળ ન થયો.

છૂટાછેડાના બદલામાં આપ્યા 15 કરોડ
મલાઈકાએ ડિવોર્સના બદલામાં અરબાઝ ખાન પાસેથી ભરણપોષણ માટે 10 કરોડ માંગ્યા હતા. રિપોર્ટનું માનીએ તો મલાઈકા 10 કરોડથી ઓછામાં સમજૂતી કરવા તૈયાર નહોતી. તો, અરબાઝે તેને 15 કરોડ રૂપિયા આપ્યા હતા.

1998માં થયા હતા મલાઈકા-અરબાઝના લગ્ન
પૉપ્યુલર રિઆલિટી શો ‘પાવર કપલ’માં જ્યારે બંનેએ સાથે દેખાવાનું બંધ કરી દીધું ત્યારે જ તેમના અલગ હોવાના કયાસ લગાવવામાં આવી રહ્યા હતા. 1998માં તેમણે લગ્ન કર્યા અને તેમને 15 વર્ષનો એક દીકરો અરહાન છે.

બંનેને મળ્યો નવો પાર્ટનર
અરબાઝથી અલગ થયા બાદ મલાઈકા હાલ અર્જુન કપૂરની સાથે પોતાના સંબંધોને લઈ ચર્ચામાં છે. તો અરબાઝ વિદેશી ગર્લફ્રેન્ડ જ્યૉર્જિયા સાથે લિવ ઈનમાં છે.

You cannot copy content of this page