મુંબઈઃ કોરોનાના કારણે સમગ્ર દુનિયામાં લોકો ભય હેઠળ જીવી રહ્યાં છે. રોજ આ વાયરસની ઝપેટમાં હજારો લોકો આવે છે. કેટલાક લોકોએ આ વાયરસના કારણે તેમના સ્વજન ગૂમાવ્યાં છે. જો કે આ કોરોના મહામારીનો સમય લાંબો ચાલતા આખરે સરકારે લોકોની સુવિધાને ધ્યાનમાં રાખીને અનલોકની પ્રક્રિયા શરૂ દીધી છે. અનલોક તો શરૂ થઇ ગયું પરંતુ કોરોના હજુ પણ તેજ રફતારથી લોકોને તેમની ઝપેટમાં લઇ રહ્યો છે. આ સ્થિતિમાં સામાન્ય લોકોની જેમ સેલેબ્સ પણ ઘરથી ઓછું બહાર નીકળવાનું પસંદ કરે છે. લોકો આ સમયે સોશિયલ મીડિયા પર વધુ એક્ટિવ જોવા મળે છે આ સ્થિતિમાં સેલેબ્સ સાથે જોડાયેલા કિસ્સા કહાણીઓ અને થ્રોબેર ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યાં છે. હાલ અભિષેક બચ્ચન અને કરિશ્મા કપૂરનો એક કિસ્સો વાયરલ થયો છે. જે આ બંનની રિલેશનશિપ અને બ્રેકઅપ સંબંઘિત છે. શું છે આ કિસ્સો જાણીએ
બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં કરિશ્મા કપૂર એક સફળ અભિનેત્રી રહી ચૂકી છે, જે સફળતાનો મુકામ કરિશ્માએ તેમની કારર્કિદીમાં મેળવ્યો, તે ઉંચાઇ અભિષેક મેળવવામં નિષ્ફળ રહ્યો છે. આ વાત બધા જ જાણે છે. જો કે અભિષેકે અનેક સુપર હિટ ફિલ્મોમાં કામ કર્યું છે.
આજની વાત કરીએ તો બહુ લાંબા સમયથી કરિશ્મા ફિલ્મની દુનિયાથી દૂર છે, જ્યારે અભિષેક કેટલાક અપકમિંગ પ્રોજેક્ટસ પર કામ કરી રહ્યો છે. એક સમય એવો પણ હતો. જ્યારે કરિશ્મા બચ્ચન પરિવારની પુત્રવધુ બનવાની હતી. અભિષેક કરિશ્માના પ્રેમમાં પાગલ હતો. બંને પાંચ વર્ષથી એકબીજાને ડેટ કરતા હતા.
બહુ ઓછા લોકો જાણે છે કે, કરિશ્માની સગાઇ અભિષેક બચ્ચન સાથે થઇ હતી. અમિતાભના 60માં જન્મદિવસને અવસરે તેમની એક પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ અવસરે જયા બચ્ચને મીડિયા સમક્ષ દીકરાની પસંદને પરિવારની વહુના રૂપે સ્વીકાર કરી હતી. આ અવસરે બંનેની એંગેન્જમેન્ટની પણ જાહેરાત કરવામાં આવી હતી.
આ પ્રસંગે જયા બચ્ચને જણાવ્યું હતું કે, બચ્ચન પરિવાર અને નંદા પરિવાર એક અન્ય પરિવારને તેમની સાથે જોડી રહ્યું છે અને તે છે કપૂર પરિવાર. આ સમયે તેમણે કરિશ્માનો પુત્રવધુ તરીકે સ્વીકાર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આ અભિષેકની સોગાત છે. જે તેમને તેમના પિતાના 60માં જન્મદિવસના અવસરે મળી છે.
2002માં બંનેની સગાઇ થઇ ગઇ. સગાઇ બાદ મીડિયા રિપોર્ટ દ્વારા એવી વાત સામે આવી કે, જયા બચ્ચન નહોતી ઇચ્છતી કે, સગાઇ બાદ કરિશ્મા ફિલ્મોમાં કામ કરે. બીજી તરફ કરિશ્માની માતા બબિતા પણ અભિષેકને કંઇ ખાસ પસંદ નહોતી કરતી. તેની પાછળનું કારણ એ પણ હતું કે, અભિષેકની બધી જ ફિલ્મો ફ્લોપ જઇ રહી હતી. જ્યારે કરિશ્મા એ સમયે ટોચની હિરોઇન હતી.
બબિતાને એ વાતનો પણ ડર હતો કે, જો અભિષેકની કરિયર સફળ નહીં રહે તો આ સ્થિતિમાં કરિશ્માનું શું થશે.? આ સ્થિતિમાં કરિશ્મા પણ તેમની માના નિર્ણયનો વિરોધ ન કરી શકી અને આખરે બંનેના સંબંધનો વિચ્છેદ થઇ ગયો.
વિવાદ માત્ર આટલો જ ન હતો. બબિતાએ બચ્ચન પરિવારની અડધી સંપત્તિ અભિષેકના નામે કરી દેવાની પણ શરત મૂકી હતી. જેથી કરિશ્માનું ભવિષ્ય સુરક્ષિત થઇ જાય. જો કે બબિતાની ધારણા મુજબ કંઇ ન થયું અને આખરે આ સંબંધ તૂટી ગયો. ત્યારબાદ અભિષેકે 2007માં ઐશ્વર્યા સાથે લગ્ન કર્યાં. તો કરિશ્મા કપૂરે સંજય કપૂર સાથે લગ્ન કર્યાં. જો કે કરિશ્મા અને સંજય ના લગ્ન સફળ ન રહ્યાં. તેમના ડિવોર્સ થઇ ગયા.
લાંબા સમયથી ફિલ્મોથી દૂર રહ્યાં બાદ કરિશ્માએ 2012માં ‘ડેન્જરસ ઇશ્ક’થી કમબેક કરવાની કોશિશ કરી હતી. જો કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી. આ સમયે અભિષેક ‘ધ બિગ બૂલ’, ‘લૂડો’, ‘બોબ વિસ્વાસ’ જેવી ફિલ્મોમાં કામ કરી રહ્યો છે.