Only Gujarat

Bollywood

કરીના-શાહિદ એકબીજાના પ્રેમમાં હતા ગળાડૂબ પણ આ વ્યક્તિને કારણે તૂટ્યાં સંબંધો, વર્ષો બાદ ખુલ્યું રહસ્ય

મુંબઈઃ કરીના કપૂર અત્યારે પ્રેગ્નન્ટ છે તે દરેક લોકો જાણે છે. હાલમાં જ 28 દિવસ પોતાની અપકમિંગ ફિલ્મ ‘લાલસિંહ ચઢ્ઢા’નું શૂટિંગ કરી પાછી મુંબઈ પોતાના ઘરે આવી છે. તેમની સાથે પતિ સૈફ અલી ખાન અને દીકરો તૈમૂર અલી ખાન પણ હતો. આમ તો દિલ્હીમાં શૂટિંગ દરમિયાન કરીના કપૂર પટોડી પેલેસમાં રોકાઈ હતી. તે સોશિયલ મીડિયામાં પણ ખૂબ જ એક્ટિવ હતી. તે તેમના ફેન્સને અપડેટ પણ આપતી હતી. આ દરમિયાન કરીના અને શાહિદ કપૂરનો એક કિસ્સો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. કરીના શાહિદનું અફેર સૌથી લાંબુ ચાલ્યું હતું. ઉલ્લેખનીય છે કે, કરીના કપૂરે ઇન્ડસ્ટ્રીમાં 20 વર્ષ પૂરા કરી દીધા છે.

કરીના અને શાહિદની લવ સ્ટોરી બી-ટાઉનમાં ખૂબ જ ફૅમશ રહી હતી. વર્ષ 2004માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ફિદા’ના સેટ પરથી બંનેનો સંબંધ શરૂ થયો હતો અને વર્ષ 2007માં ‘જબ વી મેટ’ રિલીઝ થતાં-થતાં તે એકબીજાથી દૂર થઈ ગયાં હતાં, પણ શાહિદ-કરીનાના બ્રેકઅપ પછી 12 વર્ષ પછી કારણ સામે આવ્યું છે.

રિપોર્ટ્સમાં એવું કહેવામાં આવ્યું હતું કે, તેમનું બ્રેકઅપ કરીનાની બહેન અને કરિશ્માની મા બબીતાને લીધે થયું હતું. બંને શાહિદને પોતાની બરાબરીનો માનતા નહોતા. તો એવું પણ કહેવામાં આવે છે કે કરીનાની બહેનને પહેલાંથી જ શાહિદ સાથેનો સંબંધ પસંદ નહોતો. જ્યારે મમ્મી બબિતાએ આ સંબંધ અંગે હા કહેતાં તેમનો વ્યવહાર શાહિદ પ્રત્યે બદલાઈ ગયો હતો.

જોકે, બંનેનો સંબંધ તૂટવાનું સાચુ કારણ આજે પણ લોકો સામે આવ્યું નથી. બ્રેકઅપ માટે છેલ્લો કોલ શાહિદ તરફથી કરવામાં આવ્યો હતો. જ્યારે કરીના વારંવાર પેચઅપ કરવાનો પ્રયત્ન કરતી હતી.

વર્ષ 2004માં શરૂ થયેલી શાહિદ કરીનાની લવ સ્ટોરી બી-ટાઉન ઉપરાંત મીડિયમાં ચર્ચાતી હતી. બંને ઘણીવાર સાથે જોવા મળતાં હતાં. એટલું જ નહીં બંનેએ પબ્લિકલી પણ પોતાના રિલેશનની વાત સ્વીકારી હતી.

વર્ષ 2006માં જ્યારે બંને ફિલ્મ ‘જબ વી મેટ’નું શૂટિંગ શરૂ કર્યું ત્યારે, તેમના વચ્ચે સારા સંબંધ હતાં. પણ ફિલ્મનું શૂટિંગ પુરું થતાં બંનેના સંબંધ સારા નહોતાં. ફિલ્મ સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે, સેટ પર બંને વચ્ચે વાતચીત ઓછી થવા લાગી હતી. અંતિમ સીન શૂટ કરવા બંને સેટ પર અલગ-અલગ ગાડીથી આવતાં હતાં.

બંનેએ ‘36 ચાઇના ટાઉન’ (2006), ‘ચુપ ચુપકે’ (2006), ‘જબ વી મેટ’ (2007)માં સાથે કામ કર્યું હતું. બંનેના બ્રેકઅપ પછી વર્ષ 2010માં ફિલ્મ ‘મિલેંગે-મિલેંગે’આવી હતી.

શાહિદ-કરીના કપૂરનો સંબંધ તૂટવાનું કારણ અમૃતા રાવને પણ માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે ફિલ્મ ‘વિવાહ’ના શૂટિંગ દરમિયાન શાહિદ અમૃતાની વધારે નજીક આવી ગયો હતો જેની શંકા કરીનાને થઈ ગઈ હતી. જોકે, આ વાતની પૃષ્ટી અત્યાર સુધી થઈ શકી નથી.

કરીના-શાહિદનો સંબંધ તૂટવાનું ત્યારે કન્ફોર્મ થયું જ્યારે 2007માં લેક્મે ફેશન વીકમાં કરીના, સૈફ સાથે જોવા મળી હતી. બંનેએ વર્ષ 2012માં લગ્ન કર્યાં હતાં.

કરીના-સૈફના લગ્ન 3 વર્ષ પછી શાહિદે મીરા રાજપૂત સાથે લગ્ન કર્યાં હતાં. બંનેને બે બાળકો દીકરી મીશા અને દીકરો જૈન છે.

You cannot copy content of this page