મુંબઈઃ લૉકડાઉન પૂર્ણ થયા બાદથી ‘તારક મહેતા…’નું શૂટિંગ પણ શરૂ થઈ ચૂક્યું છે, ટીઆરપી મામલે પણ શોનું પ્રદર્શન સારું છે, શો સતત પાંચમા નંબરે ચાલી રહ્યો છે અને લોકોને હસાવવામાં કલાકારો સફળ રહ્યાં છે. હવે શોમાં નવરાત્રિ સેલિબ્રેશનની તૈયારીઓ જોવા મળી રહીછે. આગામી એપિસોડમાં કલાકારો ગરબે ઘૂમતા જોવા મળશે પરંતુ આ સમયે તો હાલ જેઠાલાલ એક કારણે મુશ્કેલીમાં જોવા મળી રહ્યો છે.
જેઠાલાલની મુશ્કેલીઓ વધી
શોમાં ઘણીવાર મુશ્કેલીમાં ફસાતા જેઠાલાલ ફરી પોતાના ભાગ્યને દોષ આપતા જોવા મળી રહ્યો છે. ગત એપિસોડમાં જોવા મળ્યું કે, સોસાયટીમાં લોકો નવરાત્રિના આયોજન મુદ્દે મિટિંગ કરી રહ્યાં હતા અને ચર્ચા થઈ કે તમામ લોકો જોડીમાં પર્ફોમ કરશે
પરંતુ જ્યારે નવરાત્રિ માટેના પરંપરાગત વસ્ત્રોની વ્યવસ્થાની વાત આવી તો બબિતાજીને ઈમ્પ્રેસ કરવાના ચક્કરમાં જેઠાલાલે આ જવાબદારી પોતાના સિરે લઈ લીધી.
હવે જેઠાલાલ આ જવાબદારી લીધા બાદ પરંપરાગત વસ્ત્રોની વ્યવસ્થા કરી શક્યો નથી. તે જે મિત્રના સગા પાસેથી આ પરંપરાગત ડ્રેસ મંગાવવાનો તો તેણે લૉકડાઉન બાદ બંધ પડેલા ધંધાને કારણે પીપીઈ કિટનો વ્યવસાય શરૂ કરી દીધો હતો. એવામાં જેઠાલાલ ટૂંકસમયમાં ગોકુલધામવાસીઓના ટાર્ગેટ પર આવી જશે.
દયા બેનની એન્ટ્રી ક્યારે?
એક એહવાલ અનુસાર નવરાત્રિ સેલિબ્રેશન દરમિયાન જ દયા બેનની એન્ટ્રી પણ થઈ શકે છે. તમામ ફેન્સ એવી આશા લગાવી બેઠા છે કે ટૂંકસમયમાં દિશા વાકાણી કમબેક કરી શકે છે. જોકે મેકર્સ તરફથી આ મામલે હજુસુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
એવામાં આ વર્ષે પણ દિશા પરત ના આવે તો નવાઈ નહીં. તે છેલ્લા 2 વર્ષથી શોથી દૂર છે અને તે પોતાની બાળકીના કારણે શો પર નથી આવી રહ્યાં હોવાની અટકળો હતી. હવે દયાબેનની અમુક શરતોના કારણે વાત અટકી હોવાનું મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરાયો હતો.