Only Gujarat

Bollywood

રેખા પાકિસ્તાનની વહુ બનવાની હતી, પૂર્વ PM ને ક્રિકેટર સાથે કરવાની હતી નિકાહ

હિન્દી સિનેમાની જાણીતી અભિનેત્રી રેખાએ કરોડો ચાહકોને પોતાના દિવાના બનાવ્યા છે. આજે 67 વર્ષની ઉંમરમાં પણ રેખા પોતાની ખૂબસુરતીથી દરેકનું દીલ જીતી લે છે. તે લાંબા સમયથી ફિલ્મી દુનિયાથી દૂર છે પરંતુ પોતાના સમયમાં તેણે બોલિવૂડની દુનિયામાં જે ધમાલ મચાવી છે તે કોઈ જગ્યાએ છુપાયેલી નથી.


રેખાએ પોતાની શાનદાર અદાની સાથે ખૂબસુરતી અને ગજબનો ડાન્સને કારણે પણ દર્શકોના દિલ પર રાઝ કર્યું છે. રેખા ઘણીવાર ચર્ચામાં આવે છે. ફિલ્મી કરિયર બહુ જ જોરદાર રહ્યું છે પરંતુ તેમની પર્સનલ જિંદગી બહુ જ દર્દભરી છે. તેમણે પોતાની પર્સનલ જીવનમાં ઘણાં ઉતાર-ચઢાવ જોયા છે.


તમને જણાવી દઈએ કે, રેખાનું નામ હિન્દી સિનેમાના ઘણાં મોટી સેલિબ્રિટી સાથે જોડાયેલું છે. અમિતાભ બચ્ચન, વિનોદ ખન્ના, સંજય દત્ત, અક્ષય કુમાર જેવા જાીતા કલાકારો સાથે તેમનું અફેરના કિસ્સા ચર્ચિત છે. પરંતુ રેખાએ બિઝનેસમેન મુકેશ અગ્રવાલ સાથે લગ્ન કર્યાં હતાં. પરંતુ અભિનેત્રીના લગ્ન એક વર્ષ પણ ટકી શક્યા નહીં.


એક વર્ષની અંદર જ રેખા અને મુકેશ અગ્રવાલના છૂટાછેટા થઈ ગયા હતાં. જોકે મુકેશે આત્મહત્યા કરી લીધી હતી. ત્યાર બાદ રેખાએ બીજા લગ્ન કર્યાં નહોતા. ત્રણ દશકથી પણ વધારે સમયથી તે એકલી જ રહે છે. પરંતુ તમને જણાવી દઈએ કે રેખાનું નામ પાડોશી દેશ પાકિસ્તાનના નેતા અને પૂર્વ ક્રિકેટર ઈમરાન ખાન સાથે જોડાયું હતું.


પાકિસ્તાની ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન ઈમરાન ખાન હવે પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી પણ રહી ચૂક્યા છે. થોડા દિવસ પેહલા જ તેઓ પાકિસ્તાનના પીએમ હતાં પરંતુ હાલમાં જ પાકિસ્તાનમાં સરકારની વિરુદ્ધ લાવવામાં આવેલ અવિશ્વાસ પ્રસ્તાવમાં વિપક્ષની જીત હાંસિલ થઈ છે અને આ સાથે જ અડધી રાતે ઈમરાન ખાનની સરકાર પડી ગઈ હતી.


ઈમરાને પીએમ પદથી રાજીનામું આપી દીધું છે અને પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાજ શરીફના ભાઈ શાહબાજ શરીફ પાકિસ્તાનના નવા પ્રધાનમંત્રી બન્યા છે. જેને લઈને ઈમરાન ખાન સતત ચર્ચામાં છે. તમને જણાવી દઈએ કે, પહેલા રેખા અને ઈમરાન ખાન સંબંધમાં હતાં. કહેવામાં આવતું હતું કે, બન્નેના લગ્ન પણ થવાના હતાં.


એક ક્રિકેટ સીરિઝ માટે ઈમરાન જ્યારે પોતાની ટીમની સાથે ભારત આવ્યા હતાં ત્યારે તેમણે રેખાની સાથે સારો સમય પસાર કર્યો હતો. એક સાક્ષાત્કારમાં ઈમરાન ખાને કહ્યું હતું કે, મેં રેખા સાથે ક્યારે નહીં ભૂલાય એવો સમય પસાર કર્યો હતો. પરંતુ હવે મારે આ રીલેશનશીપથી બહાર આવવું પડશે. મારો કોઈ પણ ફિલ્મ અભિનેત્રી સાથે લગ્ન કરવાનો ઈરાદો નહતો. જ્યારે રેખાએ પણ ઈમરાન સાથે સંબંધને લઈ કંઈ કહ્યું નથી.


ઈમરાનેએ પણ કહ્યું હતું કે, અભિનેત્રીઓની કંપની થોડા સમય માટે સારી લાગે છે. હું તેમની કંપની એન્જોય કરું છું અને પછી પોતાની જિંદગીમાં આગળ વધુ છું. હું કોઈ મુવી સ્ટારની સાથે લગ્ન કરવા માટે વિચારી પણ નથી શકતો.


ઉલ્લેખનીય છે કે, રેખાના માતા રેખા અને ઈમરાનના સંબંધને લઈને બહુ જ ખુશ હતાં. તે બન્નેના લગ્ન કરતાં જોવા માંગતી હતી. આ માટે તેમણે દિલ્હીમાં જ્યોતિષને પણ વાત કરી હતી પરંતુ ઈમરાનના નિવેદનને સંબંધને આગળ વધવા દીધા નહીં અને બધું ખત્મ થઈ ગયું. 80ના દશકની વચ્ચોવચ બન્નેના સંબંધ બહુ જ ચર્ચામાં રહ્યા હતાં.

You cannot copy content of this page