ધનબાદ: ઝારખંડથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જ્યા ધનબાદના JMM(ઝારખંડ મુક્તિ મોરચા)ના નેતા શંકર રવાની અને તેની પત્ની બાલિકા દેવીની ગળું કાપીને હત્યા કરી દેવામાં આવી. અપરાધિઓએ ઘરની અંદર દોડાવી-દોડાવીને બંનેને નિર્મમ રીતે મોતને ઘાટ ઉતાર્યા. દંપતીના મૃતદેહ ઘરના આંગણામાં લોહીથી લથપથ મળ્યા. સૂચના મળતા જ પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને ઘટનાની તપાસ શરૂ કરી.
આ ઘટના શનિવારે મોડી રાત્રે સુદામાડીહ પોલીસ સ્ટેશન વિસ્તારના ગૌરાખુંટીમાં બની. જ્યાં આરોપીએ પહેલા પતિ-પત્નીને ગોળી મારી અને આંગણામાં લાવીને ગળું કાપી નાખ્યું. આસપાસના લોકોને ઘટનાની ખબર રવિવારે સવારે પડી. પોલીસને ઘટના સ્થળેથી 3 ખોખા અને ચાકૂ મળ્યું. કેટલાક લોકોનું કહેવું છે કે રાત્રે 4-5 બદમાશો ઘરમાં ઘૂસ્યા અને દંપતીને ગોળી મારી દીધી.
મળતી માહિતી પ્રમાણે જ્યારે રવિવારે સવારે મોડે સુધી દરવાજો ન ખુલ્યો તો, પાડોશીઓએ તેમને ફોન લગાવ્યો. પરંતુ તેનો પણ કોઈ જવાબ ન આવ્યો ત્યારે તેણે આંગણામાં જોયું. ત્યારે સામે જે નજારો જોવા મળ્યો, તેને જોઈને કોહરામ મચી ગયો. પતિ-પત્નીના શબ આંગણામાં પડ્યા હતા.
પોલીસે મામલાની તપાસ શરૂ કરી છે. શરૂઆતી તપાસમાં આ મામલાને બે પરિવાર વચ્ચેની લડાઈ તરીકે જોવામાં આવી રહ્યો છે. ઘટનાની જાણકારી આપતા ધનબાદ એસએસપી અસીમ વિક્રાંતે મિંચે કહ્યું કે, મૃતક શંકર રવાની JMM ધનબાદ મહાનગરના ઉપાધ્યક્ષ હતા. જેમની પત્ની સહિત મોડી રાત્રે હત્યા કરી દેવામાં આવી. બંનેના શબ પર ગોળી અને ચાકૂના નિશાન મળ્યા.
જણાવી દઈએ કે શંકર રવાનીના મોટા દીકરા કુણાલ રવાનીની પણ 3 વર્ષ પહેલા 2017માં હત્યા થઈ ચુકી છે. તેના પર રેનબો ગ્રુપના ચેરમેન અને કાકા ધીરેનની હત્યાનો આરોપ લગાવ્યો હતો. જે બાદ બંને પરિવારોમાં વેર ચાલી રહ્યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે ભીડે કુણાલની હત્યા કરીને લાશને ખરાબ રીતે કાપી નાખી હતી.
પતિ-પત્નીની નિર્મમ હત્યા બાદ વિસ્તારમાં હડકંપ મચી ગયો અને ઘટના સ્થળ પર ભીડ એકઠી થઈ ગઈ. જેણે પણ આ ખૌફનાક દ્રશ્યો જોયા તેમની આંખો પહોળી થઈ ગઈ. કારણ કે દંપત્તીની ખૂબ જ ખરાબ રીતે હત્યા કરવામાં આવી હતી.