Only Gujarat

Gujarat

તસવીરોમાં જુઓ ગુજરાતી બિઝનેસમેન ગૌતમ અદાણીનો પરિવાર, જીવે છે આવી લાઈફ

હિંડનબર્ગ રિસર્ચે 103 પાનાની રિપોર્ટ કર્યાં બાદ બિઝનેસમેન ગૌતમ અદાણીની માલિકીના અદાણી ગ્રૂપના શેર્સમાં ઘટાડો જોવા મળ્યો છે. અદાણી ગ્રૂપની કંપનીઓના સતત વધી રહેલા દેવા અંગે સવાલો ઉઠાવવામાં આવ્યા છે. આ સમાચાર આવતાં જ ગૌતમ અદાણીની નેટવર્થમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો જેના કારણે ટોપ ટેનમાંથી બહાર નીકળતાં જોવા મળી રહ્યાં છે. પરંતુ ગૌતમ અદાણી વિશે ઘણાં લોકો જાણે છે પરંતુ તેમના પરિવાર વિશે બહુ ઓછા લોકો જાણે છે.

24 જૂન, 1962ના રોજ તેમનો જન્મ અમદાવાદની રતનપોળમાં આવેલી શેઠની પોળમાં થયો હતો. મૂળ થરાદના વતની શાંતિલાલ અદાણી અમદાવાદ આવીને વસ્યા હતા તેમને ડીસા સાથે પણ જૂનું કનેક્શન છે. તેમણે નાના પાયે ટેક્સટાઇલનો ધંધો શરૂ કર્યો હતો. તેમના ચોથા નંબરના પુત્ર ગૌતમ અદાણી આજે દેશના સૌથી ધનિક વ્યક્તિઓની યાદીમાં સ્થાન પામે છે.

24 જૂન 1962ના રોજ અમદાવાદના મધ્યમ વર્ગ પરિવારમાં જન્મેલ ગૌતમ અદાણીના પિતા શાંતિલાલ ગુજરાતી જૈન ફેમિલી સાથે સંબંધ ધરાવતા છે. અમદાવાદમાં તેમનો ટેક્સટાઈલનો બિઝનેસ હતો. ગૌતમ અદાણીના માતાનું નામ શાંતા અદાણી છે. ઉત્તર ગુજરાતનાં બનાસકાંઠાનાં થરાદ ખાતે ગૌતમ અદાણીનું મકાન છે જે તેમણે હજુ યાદગીરી રૂપે સાચવી રાખ્યું છે. ગૌતમ અદાણીએ પણ તેમના પિતા અને દાદાની વિરાસત થરાદમાં સાચવી રાખી છે.

ગૌતમ અદાણીને 7 ભાઈ-બહેન છે. જેમાં સૌથી મોટા મનસુખખાઈ અદાણી છે. ત્યાર બાદ વિનોદ અદાણી, રાજેશ અદાણી મહાસુખ અદાણી, વસંત અદાણી અને એક બહેન છે. એક સમય એવો હતો જ્યારે ગૌતમ અદાણી પોતાના માતા-પિતા અને 7 ભાઈ બહેનોની સાથે એક નાની ચાલીમાં રહેતા હતાં.

ગૌતમ અદાણીના લગ્ન પ્રીતિ સાથે થયા છે. તેમની પત્ની પ્રીતિ ડેંટિસ્ટ છે. આ ઉપરાંત તેઓ અદાણી ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ પણ છે. અદાણી ફાઉન્ડેશન બાળકોના એજ્યુકેશનની સાથે ચેરિટીનું કામ કરે છે.

ગૌતમ અને પ્રીતિ અદાણીને બે બાળકો છે. મોટા પુત્રનું નામ કરન અને નાના પુત્રનું નામ જીત અદાણી છે. કરને પીડીપીયુ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. મોટા પુત્ર કરનના લગ્ન દેશના જાણીતા કોર્પોરેટ વકીલ સીરિલ શ્રોફની પુત્રી પરિધિ સાથે થયા હતાં. સિરિલ શ્રોફ અને ગૌતમ અદાણી સંબંધી છે.

કરન અદાણી અને પરિધિના લગ્ન વર્ષ 2013માં થયા હતાં. બન્નેના લગ્નમાં ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પણ હાજર રહ્યા હતાં. જુલાઈ 2016માં ગૌતમ અદાણી પૌત્રી અનુરાધાના દાદા બન્યા હતાં. તમને જણાવી દઈએ કે, કરન અદાણી હાલ અદાણી પોર્ટ એન્ડ સેઝ લિમિટેડ (APSEZ)ના CEO છે.

ગૌતમ અદાણીની વહુ પરિધિ કોર્પોરેટ વકીલ છે. તે પોતાના પિતા ફર્મ સિરિલ અમરચંદ મંગલદાસ માટે કામ કરે છે. આ કંપની મોટા કોર્પોરેટ ઘરના લીગલ એડવાઈઝનું કામ કરે છે.

ગૌતમ અદાણીની વહુ પરિધિ કોર્પોરેટ વકીલ છે. તે પોતાના પિતા ફર્મ સિરિલ અમરચંદ મંગલદાસ માટે કામ કરે છે. આ કંપની મોટા કોર્પોરેટ ઘરના લીગલ એડવાઈઝનું કામ કરે છે.

રિપોર્ટ્સ પ્રમાણે, ગૌતમ અદાણી પોતાની વધતી જતી સંપત્તિનું મેનેજમેન્ટ માટે એક ઓફિસ ખોલવા માંગે છે. તેઓ દુબઈ અથવા ન્યુયોર્કમાં ખોલી શકે છે. પરંતુ ઓફિસ ક્યાં કરવી તેની પર વિચાર ચાલી રહ્યો છે.

ગૌતમ અદાણીના મોટા ભાઈ વિનોદ છેલ્લા 28 વર્ષથી દુબઈમાં જ રહે છે. શુગર, ઓઈલ, આયરન સ્ક્રેપ, એલ્યુમીનિયમ અને કોપરનું ટ્રેડિંગ કરનાર વિનોદ અદાણીએ 1976માં સૌથી પહેલા VR ટેક્સટાઈલના નામથી કંપની ખોલી હતી જેની ઓફિસ ભિવંડીમાં હતી ત્યાર બાદ 1994માં દુબઈ શિફ્ટ કરવામાં આવી હતી.

You cannot copy content of this page