Only Gujarat

Gujarat TOP STORIES

વિસનગરનો ચોંકાવનારો કિસ્સો: વેવાણના ત્રાસથી વેવાઈએ કરી આત્મહત્યા, જાણો કારણ

મહેસાણાઃ હાલ સુરતમાં વેવાઈ અને વેવાણના પ્રેમ પ્રકરણે સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો હતો ત્યારે મહેસાણાના વિસનગરમાં એક વેવાણના કારણે વેવાઈએ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. પટેલ પરિવારના મોભીએ ત્રણ મહિના પહેલા આત્મહત્યા કરી હતી તે દરમિયાન પોલીસને એક્ટિવામાંથી એક સુસાઈડ નોટ પણ મળી આવી હતી. જેના આધારે પોલીસ તપાસ શરૂ કરી હતી. જેને પોલીસ દ્વારા FSLમાં મોકલવામાં આવી હતી જેમાં મોટો ખુલાસો થયો હતો.

પોલીસ સુત્રો પ્રમામે, અંદાજે ત્રણ મહિના પહેલા વિસનગરની કરશનનગર સોસાયટીમાં રહેતા પટેલ પરિવારના ગુજરાન ચલાવનાર મોભીએ આત્મહત્યા કરી હતી. તપાસ કરતાં પોલીસને એક્ટિવામાંથી એક સુસાઈડ નોટ પણ મળી આવી હતી જેને પોલીસે એફએસએલમાં મોકલી આપી હતી.

પોલીસે જે સુસાઈડ નોટ FSLમાં મોકલી આપી હતી તેમાં મોટો ખુલાસો થયો હતો. એફએસએલ રિપોર્ટ પ્રમાણે, આ સુસાઈડ નોટ ડાહ્યાભાઈ દ્વારા જ લખવામાં આવી હતી તેવો ખુલાસો થયો હતો ત્યાર બાદ પરિવાર દ્વારા પુત્રવધુ, વેવાણ અને પુત્રવધુના મામા સામે દુષણ પ્રેરણાની ફરિયાદ નોંધવામાં આવી છે.

ત્રણ મહિના અગાઉ વિસનગરની સોસાયટીમાં રહેતા ડાહ્યાભાઈના પુત્રના લગ્ન થયા હતાં ત્યાર બાદ બન્ને વચ્ચે છૂટાછેડા માટે પુત્રવધુ અને વેવાણ સહિતના પિયરપક્ષના લોકોએ ડાહ્યાભાઈ પર ત્રાસ ગુજારતા ત્રસ્ત બનેલા ડાહ્યાભાઈ પટેલે ઝેરી ગોળીઓ આત્મહત્યા કરી લીધી હતી.

મહત્વની વાત એ છે કે, આ ઘટનાને આજે ત્રણ મહિના વિતી ગયા હતા ત્યાર બાદ FSL રિપોર્ટ આવ્યો હતો જેમાં ડાહ્યાભાઈએ લખેલી સૂસાઈડ નોટ તેમના પોતાના હસ્તે લખી હોવાનું પુરવાર થયું હતું.

આખરે વિસનગર પોલીસે કન્યા પક્ષ તરફથી પુત્રીના છૂટાછેડા લેવા માટે 10 લાખ રૂપિયાની માંગ કરી વેવાઈ પર ત્રાસ ગુજારતા મૃતકની પુત્રવધુ તેની માતા અને મામા સામે દુષ્પ્રેરણા મામલે ફરિયાદ નોંધી હતી.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page