Only Gujarat

FEATURED National

પુત્ર ઘેલછા પાછળ મહિલા પહોંચી ગઈ તાંત્રિકમાં, શરીરમાં ઠેર-ઠેર ઠોકી દીધી ખીલીઓ!

ભરતપુર: બેટી બચાવો, બેટી પઢાવો જેવા મિશન ચલાવ્યા બાદ પણ આપણે હજું કેટલાક જડ માનસ અને માન્યતાને નથી બદલી શક્યા. આ કારણથી જ પુત્ર પ્રાપ્તિની ઘેલછામાં લોકો ના કરવાના કામ પણ કરી બેસે છે. રાજસ્થાનના ભરતપુરની મહિલા પુત્ર પ્રાપ્તિ માટે તાંત્રિક પાસે પહોંચી ગઇ હતી. જો કે તાંત્રિકે તેમના શરીર પર એવો અત્યાચાર કર્યો કે, આખરે મહિલાનું મોત થઇ ગયું. પરિવારજનોની ફરિયાદ બાદ પોલીસે તાંત્રિકની ધરપકડ કરી લીધી છે.

રાજસ્થાનના ભરતપુરમાં દીકરાની ઇચ્છા માટે તાંત્રિક પાસે જવું મહિલાને ભારે પડ્યું. તાંત્રિકના ચક્કરમાં ફસાયેલી આ મહિલાએ આખરે જિંદગીથી જ હાથ ધોવા પડ્યાં. આ મામલામાં પોલીસે મહિલાના મોત બાદ તાંત્રિકની ધરપકડ કરી લીધી હતી.

રાજસ્થાનના ભરતપુરના અસ્તાવન ગામમાં રહેતી આ મહિલાને બે દીકરીઓ હતી અને તેમને પુત્રની ઇચ્છા હતી. આ માટે તે તાંત્રિકના શરણે પહોંચી ગઇ. પહેલાથી બીમાર મહિલા જ્યારે તાંત્રિક પાસે પહોંચી તો તાંત્રિકે તેમના શરીર પર ખરાબ આત્માનો પ્રભાવ હોવાનો દાવો કર્યો અને ઇલાજ શરૂ કર્યો.

બીમાર મહિલા ડોક્ટર પાસે જવાને બદલે તેમના પતિ સાથે તાંત્રિક પાસે પહોંચી ગઇ. તાંત્રિકે દાવો કર્યો કે મહિલાના શરીર પર ભૂતપ્રેત જેવી નકારાત્મક શક્તિઓ હાવિ છે.

તાંત્રિક પાસે ઇલાજ શરૂ કરાવ્યા બાદ મહિલાની તબિયત વધુ ખરાબ થવા લાગી. તબિયત વધુ ખરાબ થતાં પરિવારના લોકો મહિલાને લઇને હોસ્પિટલ પહોંચ્યાં. જો કે ત્યાં સુધીમાં મહિલાનું મૃત્યું થઇ ગયું હતું. મહિલાના પરિવારે તાંત્રિક વિરૂદ્ધ હત્યાનો કેસ નોંધાવ્યો છે.

મહિલાના શરીરમાં અનેક જગ્યાએ દાઝ્યા અને ઇજાના ઘા જોવા મળ્યાં છે. મહિલાના શરીરમાં ખીલીઓ લગાવી હોય તેવા નિશાન પણ જોવા મળ્યાં છે. તાંત્રિકે ઇલાજના બહાને અને પુત્ર પ્રાપ્તિની વિદ્યા માટે મહિલાની શરીરમાં ખીલીઓ મારી હોવાનુ સામે આવ્યું છે, તાંત્રિકે શરીર પર અનેક જગ્યા ડામ આપ્યાં હોવાથી દાઝી જવાના નિશાન પણ જોવા મળ્યા. આ તમામ કારણે મહિલાનું મોત થઇ ગયું.

 

આરોપી તાંત્રિકે પોતાનો બચાવ કરતા જણાવ્યું કે, તે શરીરમાં પ્રવેશેલા ભૂતપ્રેતોનો ઇલાજ કરે છે પરંતુ તેમના શરીરને ઇજા નથી પહોંચાડી. મહિલાના શરીરને ઇજા સીડીઓથી પડી જવાને કારણે થઈ હતી.

You cannot copy content of this page