Only Gujarat

FEATURED National

ડોક્ટર પત્નીએ કર્યું મોતને વ્હાલું, પિતાએ કહ્યું- લાડલીને સાસરીયાંએ ભેગા થઈને મારી નાખી

આગ્રાઃ શહેરમાં ડૉક્ટર દીપ્તિના મોતના કિસ્સાની ચર્ચા ચાલી રહી છે. પિતાએ સાસરીયા પર હત્યાનો આરોપ લગાવ્યો હતો. જ્યારે પોલીસે ડૉ. દીપ્તિના રુમની તપાસ હાથ ધરી તો કબાટમાંથી 2 પત્રો મળ્યા. એક સુસાઈડ નોટ હતી અને બીજા પેજ પર પતિ માટે એક કવિતા લખી હતી. પોલીસ અધિકારીએ બંને લેટર તપાસ માટે ફોરેન્સિક લેબ મોકલ્યા હતા.


તાજગંજના વૈભવ વૈલી વ્યૂ એપાર્ટમેન્ટમાં રહેતી ડૉ. દીપ્તિ અગ્રવાલે 3 ઓગસ્ટે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. પતિ ડૉ. સુમિત અગ્રવાલે રૂમનો દરવાજો તોડી પત્નીને ઉતારી અને પ્રતાપપુરા સ્થિત પોતાની જ સફાયર હોસ્પિટલમાં લઈ ગયો હતો. રાતે 3 કલાકે ડૉ. દીપ્તિને ફરિદાબાદ સ્થિત સર્વોદય હોસ્પિટલમાં લઈ જવામાં આવી, જ્યાં તેનું મોત થયું હતું.

 


પોલીસને દીપ્તિના રૂમમાંથી સુસાઈડ નોટ મળી જેમાં લખ્યું હતું કે,‘હું આ દુનિયા છોડીને જઈ રહી છું, મારી દીકરીનું ધ્યાન રાખજો. તેને મારી સંપત્તિ આપી દેજો. મારી આત્મહત્યા મામલે કોઈ દોષી નથી.’ પતિને દીકરીનું ધ્યાન આપવા કહ્યું અને આ ઉપરાંત એક બીજા પેજ પર પતિને સંબોધીને કવિતા લખી હતી.

બીજા લેટર પર લખેલી કવિતા કંઈક આ પ્રકારે હતી કે,‘મેં તુમ્હે ચાહતી હું, તુમ ભી મુજે ચાહતે હો ના…મે જાનતી હું તુમ્હારા પ્યાર સચ્ચા હૈ..’ એક અન્ય કવિતામાં લખ્યું કે,‘જેસે તુમ મુજે અભી ચાહતે હો…વૈસે હી તબ ચાહોંગે, જબ મે બુઢિયા હો જાઉંગી..’ તાજગંજ પોલીસ ઈન્સપેક્ટરે જણાવ્યું કે બંને લેટર તપાસ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરાશે.

…અગાઉથી આત્મહત્યા કરવા માગતી હતી દીપ્તિઃ સુસાઈડ નોટમાં જે ક્રિશિવનો ઉલ્લેખ કરાયો છે. પોલીસને તેના વિશે પરિવારજનોએ જણાવ્યું કે, તેણે 2 વર્ષ અગાઉ દીકરાને જન્મ આપ્યો હતો, જેનું નામ ક્રિશિવ રાખ્યું હતું. જન્મના અમુક સમય બાદ જ તે દીકરાનું નિધન થયું હતું. સુસાઈડ નોટમાં દીપ્તિએ ક્રિશિવ સાથે જ દુનિયા છોડી દેવી હતી તેમ લખ્યું હતું. એવામાં સવાલ એ છે કે, શું દીપ્તિ બાળકના નિધન બાદથી જ આત્મહત્યા અંગે વિચારી રહી હતી.

ડૉ. દીપ્તિના લગ્ન 2014માં ડૉ. સુમિત અગ્રવાલ સાથે થયા હતા. પોલીસ તપાસમાં પરિવારમાં કોઈપણ પ્રકારનો વિવાદ સામે આવ્યો નહોતો. હવે સવાલ એ છે કે તો પછી દીપ્તિએ આત્મહત્યા કયા કારણોસર કરી. આવા અમુક સવાલોના જવાબ હાલ પોલીસ પાસે પણ નથી.

દીપ્તિના પિતાએ હત્યાનો આરોપ લગાવ્યોઃ મૃતકાના પિતા ડૉ. નરેશ મંગલાએ દીપ્તિના સાસરીયા પર તેને ત્રાસ આપતા હોવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે દીપ્તિની હત્યા કરી આત્મહત્યા તરીકે ચિતરવા મૃતદેહને પંખા સાથે લટકાવ્યો. જ્યારે પલંગ અને પંખા વચ્ચે 5 ફૂટનું અંતર હતું. તેઓ સાસરી પક્ષના લોકો વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવશે.

You cannot copy content of this page