અમદાવાદઃ જીવનને સુખમય તથા શાંતિપૂર્ણ બનાવવા માટે દેવી-દેવતાઓની પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે પૂજા કરવાથી ભગવાન ખુશ થાય છે અને આપણી દરેક મનોકામના પૂર્ણ થાય છે. આ જ કારણ છે કે દરેક ધર્મ તથા સમુદાયના લોકો પોત-પોતાની રીતે ભગવાનની પૂજા કરે છે.
પૂજા કરતી વખતે વિશેષ નિયમોનું પાલન કરવું જરૂરી છે. માનવામાં આવે છે કે જો તમે યોગ્ય રીતે આ નિયમોનું પાલન કરો તો આપણી તમામ ઈચ્છાઓ પૂર્ણ થાય છે અને જીવન એકદમ સુખમય બની જાય છે. આજે આપણે પૂજા કરતી વખતે કયા નિયમોનું ધ્યાન રાખવું તે અંગે વાત કરીશું.
પૂજા કરતા સમયે સૌ પહેલાં પાંચ દેવોનુ ધ્યાન ધરવુ જોઈએ.
પાંચ દેવોમાં સૂર્ય, ગણેશ, દુર્ગા, શિવ તથા વિષ્ણુનો સમાવેશ થાય છે. આમની પૂજા તમામ કાર્યોમાં કરવામાં આવે છે.
આ સાથે જ પૂજા કરતા સમયે દુર્ગા માતાને દુર્વા ચઢાવવી નહીં. દુર્વા ગણેશજીને અર્પિત કરવી.
શંખના જળથી સૂર્ય દેવને અર્ગ આપવું. તો ન્હાયા વગર ક્યારેય તુલસીના પત્તા તોડવા નહીં
ન્હાયા વગર ક્યારેય શંખ વગાડવો જોઈએ નહીં. માનવામાં આવે છે કે ન્હાયા વગર શંખ વગાડવામાં આવે તો માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે.
માતા લક્ષ્મીની પૂજા કરતા સમયે કમળના ફૂલ અચૂક ચઢાવવા. આમ કરવું ઘર તથા પરિવાર માટે શુભ છે.