Only Gujarat

Bollywood

ગરબાના શોખીન દયાભાભીની નોરતાં પહેલાં થશે વાપસી, ક્લિક કરીને વાંચો વિગત

ટીવીના કૉમેડી ડ્રામા શો ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં લીડ એક્ટ્રેસ દિશા વાકાણીની ગેરહાજરી ચાહકોને ખટકી રહી છે. અભિનેત્રીએ ત્રણ વર્ષ પહેલા મેટરનિટી લીવ લીધી હતી જે બાદ તે પાછી નથી ફરી. ગયા વર્ષે તે નવરાત્રિના મોકા પર કમબેક કરવાની હતી. જેના માટે તેણે પ્રોમો પણ શૂટ કર્યો હતો. જો કે સીરિયલના મેકર્સ સાથે તેની વાત ન બની. પરંતુ હવે મેકર્સે તેમને પાછા બોલાવવાની તમામ તૈયારીઓ કરી લીધી છે. શો અને દયાબેનના ચાહકો માટે સારા સમાચાર છે કારણ કે દયાબેન આ નવરાત્રિ સુધીમાં શો માં વાપસી કરી શકે છે.

ઘણા દિવસોથી સતત દયાબેનની વાપસીની ખબરો ચર્ચામાં છે. આ વિશે એક સૂત્રએ પિંકવિલા સાથેની વાતચીતમાં કહ્યું છે કે, ‘દિશા વાકાણીના કમબેકને લઈને કેટલીક વાતો થઈ રહી છે. જો કે તના પરિવાર તરફથી કરવામાં આવી રહેલી ડિમાન્ડ લાંબા સમયથી રસ્તાનો કાંટો બની રહી છે. પરંતુ હવે તેના મેકર્સે દયાબેનને પાછા લાવવાની પૂરી તૈયારી કરી લીધી છે. ભલે દિશા વાકાણી ન માને. મેકર્સ દર્શકોના પસંદગીના કિરદાર દયાબેનને શોથી દૂર રાખવા નથી માંગતા અને નવરાત્રિથી વધુ સારો ક્યો તહેવાર હોય શકે તેમની વાપસી માટે.’ જો નવરાત્રિ સુધીમાં વાત નહીં બને તો દિવાળી પહેલા તેમની વાપસી થશે.

કેમ શોથી દૂર છે દયાબેન ઉર્ફ દિશા વાકાણી
દિશાએ ત્રણ વર્ષ પહેલા પ્રેગનેન્સીના કારણે મેટરનિટી લીવ લીધી હતી. એક વર્ષ બાદ જ્યારે અભિનેત્રી માતા બની તો તેણે દીકરીની દેખભાળ માટે મેકર્સ પાસે સમય માંગ્યો હતો. બાદમાં જ્યારે તેની દીકરી મોટી થઈ તો અભિનેત્રીએ ડિમાન્ડ કરી કે તે માત્ર કેટલાક સ્પેશિયલ સીન માટે જ શો સાથે જોડાશે. પરંતુ મેકર્સ તેને ફુલ ટાઈમ રાખવા માંગતા હતા. ગયા વર્ષે મેકર્સ આ વાત પર રાજી થઈ ગયા હતા. જે બાદ દિશાની સાથે એક પ્રોમો પણ શૂટ કરવામાં આવ્યો હતો. જો કે પછી તેના પરિવાર તરફથી કેટલીક ડિમાન્ડ આવી અને વાત ન બની.

આ પહેલા દિશાના રોલ માટે નવી અભિનેત્રીની શોધ પણ કરવામાં આવી રહી હતી પરંતુ દિશાની વાપસીની ખબરથી નિર્ણય બદલાઈ ગયો હતો. હવે જો આ વખતે દિશા કમબેક નહીં કરે તો કદાચ શોમાં નવી દયા આવી શકે છે.

શોએ પુરા કર્યા 3000 એપિસોડ
તારક મહેતા શોએ આ 24 સપ્ટેમ્બરે 3000 એપિસોડ પુરા કરીને મોટી ઉપલબ્ધિ મેળવી છે. આ ખાસ મોકા પર ટીમે સેટ પર એક નાની પાર્ટીનું આયોજન કર્યું હતું. જેની સાથે જેઠાલાલ ઉર્ફે દીલિપ જોશીએ પોતાના પ્રોડ્યૂસર અસિત મોદી, શોની કાસ્ટ, તારક મહેતા(લેખક) અને ચાહકોનો આભાર માન્યો હતો. એક્ટરે શોની શૂટિંગના પહેલા દિવસથી લઈને અત્યાર સુધીની કહાની એક ઈમોશનલ અંદાજમાં બયાન કરી છે.

You cannot copy content of this page