Only Gujarat

Gujarat

મુંબઈથી દીવ વચ્ચે શરૂ થયું ક્રૂઝ, એક ટ્રીપનું કેટલું છે ભાડું? જાણો

મુંબઈથી દીવ વચ્ચે ‘જલેસ’ નામના ક્રૂઝનો પ્રારંભ થઈ ચૂક્યો છે. મુંબઈથી 385 પ્રવાસીઓ સાથે ક્રૂઝ આજે દીવ આવી પહોંચ્યું હતું. ત્યારે દીવ પોર્ટ પર ક્રૂઝનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સંઘ પ્રદેશ અને ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર આટલી મોટી ક્રૂઝ દીવ આવી પહોંચતાં પ્રવાસીઓમાં ખુશીની લાગણી જોવા મળી હતી.

આ ટુર 2 રાત્રી અને 3 દિવસની છે જેમાં મુંબઈથી દીવ થઈને ક્રુઝ મુંબઈ પરત ફરશે. વ્યક્તિ દીઠ ભાવ રૂપિયા 13,000થી 16,000ની વચ્ચે છે. નોંધનીય છે કે, ઉનાળામાં વેકેશન સીઝન હોવાથી ભાવ વધુ છે. આ ભાવ વેબસાઈટ પરથી લેવામાં આવેલ છે.

કર્ણિકા 40 જેટલી સ્વાદિષ્ટ વાનગીઓ પીરસે છે જેની મજા તમે રૂમમાં બેસીને, રેસ્ટોરન્ટમાં અથવા ડેક પર બેસીને માણી શકો છે.

કર્ણિકા એક પ્રીમિયમ લક્ઝરી ક્રુઝ શિપ છે. તેની જાહોજલાલી ભરી સફર ફક્ત ભારતીય પ્રવાસીઓ એની પણ વિદેશી પ્રવાસીઓને પણ આકર્ષશે.

LEAVE A RESPONSE

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page