મુંબઈઃ મિસકેરેજ એટલે કે ગર્ભપાત કોઈ પણ મહિલા માટે સૌથી મોટું દુખ છે. બાળકના ઘબકારા, શરીરમાં હોર્મોન્સ લેવલમાં ગડબડ અથવા ટ્રૉમા અને ઈજાને લીધે ગર્ભપાત થઈ શકે છે. ડૉક્ટર મુજબ, પ્રૅગનન્સિના 10થી 15 ટકામાં મિસકેરેજનો ખતરો રહે છે પણ નોર્મલ કપલ્સની જેમ ઘણાં એવાં સેલેબ્રિટી કપલ્સ છે જેમણે ગર્ભપાત એટલે કે મિસકેરેજનું દુખ સહન કરવું પડ્યું છે અને આ વિશે તેમણે વાત કરી છે.
એક ઇન્ટરવ્યૂમાં કાજોલે કહ્યું હતું કે, ‘‘લગ્નના બે વર્ષ પછી પ્રૅગ્નન્ટ થઈ હતી પણ, મિસકેરેજને લીધે, બાળકને જન્મ આપી શકી નહોતી.’’
જ્યારે કાજોલની ફિલ્મ ‘કભી ખુસી કભી ગમ’ બમ્પર કમાણી કરી રહી હતી તે દરમિયાન તે હૉસ્પિટલમાં એડમિટ હતી કેમ કે, તેમનું મિસકેરેજ થઈ ગયું હતું.
શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાને પણ આ દુખ સહન કર્યું છે. શાહરૂખે એક ચેટ શૉમાં કહ્યું હતું કે, ‘‘વર્ષ 1997માં ગૌરીનું મિસકેરેજ થઈ ગયું હતું. આ પછી તેમના દીકરા આર્યનનો જન્મ થયો હતો.’’
શિલ્પા શેટ્ટીએ વર્ષ 2009માં બિઝનેસમેન રાજ કુદ્રા સાથે લગ્ન કર્યાં હતાં. શિલ્પાએ વર્ષ 2012માં દીકરા વિઆનને જન્મ આપ્યો હતો. વિઆન પહેલાં શિલ્પાનું એકવાર મિસકેરેજ થયું હતું જેને લીધે તે ખૂબ જ દુખી હતી.
આમિર ખાનની પત્ની કિરણ રાવ વર્ષ 2009માં મા બનવાની હતી પણ, તેમનું મિસ કેરેજ થઈ ગયું હતું. આ પછી વર્ષ 2011માં IVF સેરેગેસી દ્વારા તેમના ઘરે દીકરાનો જન્મ થયો હતો.
દિલીપ કુમાર સાથે લગ્ન પછી વર્ષ 1972માં સાયરા બાનો પ્રેગ્નન્ટ થઈ હતી પણ, 8 મહિના પછી તેમનું મિસકેરેજ થઈ ગયું હતું. આ પછી તે ક્યારેય મા બની શકી નહોતી. આજે સાયરા 75 વર્ષની છે અને આજે પણ તેમને સંતાન ન હોવાનું દુખ છે.
રશ્મિ દેસાઈએ વર્ષ 2012માં નંદિશ સંધૂ સાથે લગ્ન કર્યાં હતાં. લગ્નના થોડાં મહિના પછી જ રશ્મિ પ્રેગ્નન્ટ થઈ ગઈ હતી. જેકે, તેમનું મિસકેરેજ થઈ ગયું હતું. તેમણે ખુદ જણાવ્યું હતું કે, તે આ દુખ સહન કરી શકી નહોતી. છતાં પણ, તેમને કામ કરવાનું છોડ્યું નહોતું.
કરન પટેલે એક્ટ્રસ અંકિતા ભાર્દવ સાથે લગ્ન કર્યાં હતાં. અંકિતા વર્ષ 2018માં પ્રેગ્નન્ટ થઈ હતી પણ પાંચમા મહીને તેમનું મિસકેરેજ થઈ ગયું હતું. આ કપલ માટે આ સમય ખૂબ જ મુશ્કેલ હતો. આ પછી અંકિાતાએ દીકરીને જન્મ આપ્યો હતો.