એક હચમચાવી દેતો અને માનવામાં ન આવે એવો બનાવ સામે આવ્યો છે. પ્રેમમાં નિષ્ફળતા મળતાં એક સગીરા અને તેની 5 સહેલીઓએ ઝેર પી લીધું હતું. જેના કારણએ 3 છોકરીઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે ત્રણને હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે, જ્યાં તેની સારવાર ચાલુ છે. ઘટનાની માહિતી મળતાં જ પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં જે વિગત બહાર આવી એ જાણને પોલીસ પણ ચોંકી ગઈ હતી.
આ શોકિંગ બનાવ બિહાર રાજ્યના ઔરંગાબાદ જિલ્લામમાં સામે આવ્યો હતો. પ્રેમમાં નિષ્ફળતા મળતાં એક કિશોરી અને તેની 5 સહેલીઓએ ઝેર પી લીધું હતું. જેમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતાં જ્યારે ત્રણને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. સગીરા પોતાના ભાઈના સાળાને પ્રેમ કરતી હતી પરંતુ પ્રેમીએ લગ્ન કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. મરનાર બે યુવતીઓની ઉંમર 14 વર્ષ જ્યારે એકની ઉંમર 15 વર્ષ છે. ત્રણેય અલગ-અલગ પરિવારની છે.
પ્રાપ્ત વિગત મુજબ કાસમા વિસ્તારના ચિરૈલા ગામમાં રહેતી મંજુષા (નામ બદલ્યું છે)એ મેટ્રિક પાસ કર્યું હતું. તેણે અભ્યાસ વધુ નહોતો કર્યો પણ સુંદરતમાં કોઈનાથી કમ નહોતી. તે પોતાના ભાઈના સાળા ચિંટુને પ્રેમ કરતી હતી. આની જાણકારી મંજુષાની તમામ સહેલીઓને હતી. પ્રેમીએ મંજુષા સાથે લગ્નની ના પાડી દીધી હતી, જેના કારણે તે ભાંગી ચૂકી હતી. તેણે પોતાની નિરાશાની વાત તેની સહેલીઓની કહી હતી. બાદમાં મંજુષાએ આ વાત કોઈને ન કહેવાની કસમ ખવડાવી હતી. છતાં મંજુષાને ડર હતો કે તેના અફેરની વાત બધાને ખબર પડી જશે. આથી તેણે તેની સહેલીઓને ઝેર ખાવા મનાવી લીધી હતી.
બધૌરા પંચાયતના સરંપચ અનુજ સિંહે જણાવ્યું કે, ગામની સગીરા પોતાના પ્રેમીને મળવાં ગુરારૂ ગઈ હતી. તેની સાથે બહેન અને 4 કિશોરીઓ પણ ગઈ હતી. પ્રેમી અને આ લોકોની વચ્ચે કંઈ વાત થઈ હતી. ગામમાં પરત ફર્યા બાદ બધી સહેલીઓએ ઝેર પી લીધું હતું. તમામ સહેલીઓની સારવાર માટે મગધ મેડિકલ કોલેજ લઈ જવામાં આવી હતી જ્યાં ત્રણને ડોક્ટરે મૃત જાહેર કરી હતી.
એસપી કાંતેશ કુાર મિશ્રાએ જણાવ્યું કે, 6માંથી એક કિશોરીનું અફેર ભાઈના સાળા સાથે ચાલતું હતું. તે ગુરૂઆને રહેવાસી છે અને તેનું નામ બિટ્ટુ છે. સગીરાએ પ્રેમીને લગ્ન માટે વાત કરી પરંતુ પ્રેમીએ લગ્ન કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. ત્યાર બાદ બધી સહેલીઓ ઘરમાંથી નીકળી અને ઝેર પી લીધી હતું જેનાથી ત્રણ સહેલાીઓના મોત નિપજ્યાં હતાં.
ત્રણ સહેલીઓના મોત બાદ મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવા પહોંચેલા પરિવારજનોએ કંઈ પણ બોલવાનો ઈન્કાર કરી દીધો હતો. મૃત બે કિશોરીઓના પિતાનું કહેવું હતું કે, તેમને કંઈ ખબર નથી. તે લોકો કામ પર નિકળી ગયા હતાં. ફક્ત એટલું જ ખબર છે કે પુત્રીએ ઝેર પી લીધું જેના કારણે તેનું મોત થયું છે.