ખૂબ જ જોવાતા ટીવીના રિયાલિટી શો બીગ બોસ-15ની વિજેતા તેજસ્વીની પ્રકાશે થોડા સમય અગાઉ કોરોનાના સમયમાં જ નવસારી શહેરની આખા દિવસની મહેમાનગીરી માણી હતી.ખૂબ જ જાણીતા ટીવીના રિયાલિટી શો બિગ બોસ 15 હાલમાં જ પૂરો થયો જેની વિજેતા ટીવી અભિનેત્રી તેજસ્વીની પ્રકાશ બની છે.
નોંધનીય વાત એ છે કે તેજાના નામથી જાણીતી તેજસ્વીનીએ કોરોનાના સમયમાં થોડા સમય અગાઉ નવસારીની મહેમાનગીરી માણી હતી. અન્ય એક અભિનેત્રી અનેરી સાથે નવસારીના વતની એવા કલાકાર હર્ષ રાજપૂતના લક્ષ્મીનગર સ્થિત ઘરે આવી હતી.
આ મુલાકાત ઊડતી ન હતી પણ તેજા આખો દિવસ અને રાત્રિ પણ રોકાઈ હતી. દિવસ દરમિયાન તેજા હર્ષ રાજપૂતના પરિવાર સાથે શહેરમાં ફરી પણ હતી. શેરડીનો રસ પીધો, લુન્સીકૂઈની પાણીપુરીનો ટેસ્ટ માણ્યો, હાઈવેની ખોડિયાર હોટેલમાં ભોજન લીધું અને સોડા પણ પીધી હતી.
જોકે તે સમયે તેજાની મુલાકાતની શહેરમાં ખાસ નોંધ લેવાઈ ન હતી. જોકે, હવે બીગબોસ-15ની તેજસ્વીની વિજેતા થતાં જ લોકોમાં તેમની મહેમાનગીરીને લઇ યાદો તાજા થઇ છે. નવસારીમાં આવી ચૂકેલી તેજસ્વીની તે સમય દરમિયાન ખાસ ઓળખ ઉભી કરવામાં નિષ્ફળ રહી હતી, પરંતુ હવે બીગબોસ બાદ લોકોને તેને વધુ જાણતા થયા છે.
હર્ષના પિતા જયેશભાઈ રાજપૂતે જમાવ્યું હતું કે, મારા દીકરાની મિત્ર અનેરી વજાણી સાથે તેજસ્વીની સરપ્રાઈઝ વિઝીટે અમારે ત્યાં આવી હતી. અભિનેત્રી હોવા છતાં તેણી ખુબ જ સરળ સ્વભાવની છે, બીગબોસની વિજેતા થતા આનંદ થયો છે. –