Only Gujarat

Bollywood

શો છોડ્યા બાદ પહેલીવાર ભારે હ્રદયે બોલી નેહા મહેતા, મેં સીરિયલ જોવાનું પણ કરી દીધું છે બંધ

તારક મહેતાના ઉલ્ટા ચશ્મા સીરિયલમાં અંજલી ભાભીનો રોલ અદા કરનાર પોપ્યુલર એક્ટ્રેસ નેહા મહેતાએ આ શો છોડી દીધો છે. નેહા મહેતાએ આ શો છોડી દેતા અનેક પ્રકારની અટકળો લોકો લગાવી રહ્યાં છે ત્યારે ખુદ નેહા મહેતાએ શો છોડવાના કારણની સ્પષ્ટતા એક ઇન્ટરવ્યુમાં કરી છે. હાલ તારક મહેતાના શોમાં અંજલિ ભાભીનો રોલમાં સુનૈના ફોજદાર જોવા મળી રહી છે.

નેહા મહેતાએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો છોડતાં એવી વાત સામે છે કે, શો મેકર્સ સાથે નેહા મહેતાની વચ્ચે કોઇ વાતને લઇને વિવાદ સર્જાતા તેમને શો છોડી દીધો. જો કે શોના પ્રોડ્યૂસર અસિત કુમાર મોદીએ જણાવ્યું કે, ‘એવી કોઇ મોટી વાત નથી બની તેમ છતાં તેમણે શો છોડવાનો નિર્ણય કરી લીધો. જો કે મેં મારા તરફથી પુરી કોશિષ કરી હતી’

હાલ આપેલા એક ઇન્ટરવ્યુમાં નેહા ખુલ્લીને તેમની વાત દર્શકોને જણાવી હતી. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાને આપેલા એક ઇન્ટરવ્યુમાં તેમણે જણાવ્યું કે, ‘આ વાત સાચી નથી.તેમણે જણાવ્યું હતું કે, હું ખૂબ સન્માન પૂર્વક મારા પ્રોડ્યૂસરને કહેવા માંગું છે કે, એવું બિલકુલ નથી થયું કે, તેમણે વારંવાર શો પર મને બોલાવી હોય. જો કે વાત કંઇક બીજી જ છે. આ શેર આયા, આ શેર આયા વાળો મામલો છે. અહીંનો રૂલ તો આપને ખબર જ છે. જો તમારે કરવું હોય તો કરો નહિ તો છોડી દો’

નેહાએ એ પણ જણાવ્યું કે, ‘શો પર આવી ઘટનાઓ થવી કોઇ નવી વાત તો નથી. જો કે આપ કોઇ એક્ટરને રડાવીને એવી તો આશા ન જ રાખી શકો કે, તે બેસ્ટ પર્ફોમ કરે. ઇન્ટરવ્યુમાં નેહાએ જણાવ્યું કે, તેમને અનેક વખત કહેવામાં આવ્યું કે, નેહાનો વિકલ્પ છે’

શો છોડ્યા બાદ નેહાના પિતાએ નેહાને ફરીવાર અસિત મોદી સાથે વાત કરીને સમાધાનકારી વલણ અપનાવવાની સલાહ આપી હતી. જો કે આ મુદ્દે નેહાએ જણાવ્યું કે, ‘હું અસિત મોદી સરનું ખૂબ જ સન્માન કરું છું,માત્ર અસિત મોદી જ નહીં હું એ બધા જ નિર્માતાનું સન્માન કરૂ છું, જેમની સાથે મેં કામ કર્યું છે, જો કે મેં તેમને જણાવ્યું હતું કે., આપણી વચ્ચે જે પણ પ્રશ્નો છે તે મુદ્દે ચર્ચા કરીને તેનું નિવારણ લાવી શકાય. જો કે જ્યારે કોઇ આપને આવું કહી દે કે, તમારે તમારો ઇગો સંભાળવો પડશે અને આપ શો છોડીને જવા ઇચ્છતા હો તો જઇ શકો છો. અમારી પાસે એક વિકલ્પ છે. જેના ઓછા પૈસામાં પણ હાયર કરી શકાય તેમ છે. આ કોઇની સાથે પણ બની શકે છે. આ કારણે હવે હું આ શો છોડીને આગળ વધવાની કોશિશ કરી રહી છું’

આ શો જેટલો જુનો અને લોકપ્રિય છે. તેટલા જ લોકપ્રિય અને જુના તેના કલાકારો પણ છે. જો કે છેલ્લા કેટલાક સમયથી આ લોકપ્રિય કલાકારો શોમાં જોવા મળતા નથી. અંજલિ ભાભી પહેલા સોઢી, સોનુ અને દયા બેનની ભૂમિકા ભજવનાર કલાકાર પણ શો છોડીને જતાં રહ્યાં છે.

 

You cannot copy content of this page