Only Gujarat

Bollywood FEATURED

આખરે અમિતાભના લાડલા અભિએ એવું તો શું કર્યું કે ઐશ્વર્યા ગુસ્સાથી થઈ હતી લાલચોળ?

મુંબઈ: ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનની જોડી બી-ટાઉનની પસંદગીની જોડીઓમાંથી એક છે. તેમને એક સાથે 13 વર્ષ થઈ ચુક્યા છે, પરંતુ પ્રેમમાં કોઈ ઓટ નથી આવી. બંને અનેકવાર સાથે જોવા મળે છે. પછી તે ઈવેન્ટ હોય કે ફંક્શન. મોટાભાગના કપલ્સ એનિવર્સરીની યાદને સંભાળીને રાખવામાં માનતા હોય છે. એવામાં અભિષેક અને ઐશ્વર્યાની લગ્નની બીજી વર્ષગાંઠનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. થયું હતું એવું કે, લગ્નની બીજી વર્ષગાંઠ પર એક્ટ્રેસ પતિની એક ભૂલના કારણે ભડકી ગઈ હતી. આવી રીતે મનાવી હતી લગ્નની બીજી વર્ષગાંઠ…

એક ઈન્ટરવ્યૂમાં અભિષેક અને ઐશ્વર્યાને એકબીજા વિશે એ રોમેન્ટિક ચીજ મામલે પૂછવામાં આવ્યું હતું જે તેમણે એકબીજા માટે કરી હોય. જો કે, આ સવાલ સાંભળીને પહેલા તો બંને હસવા લાગ્યા. પરંતુ પછી અભિષેકે તેમના લગ્નની બીજી વર્ષગાંઠના સેલિબ્રેશન વિશે જણાવ્યું અને કહ્યું કે તેમણે એક રોમેન્ટિક ડિનર ડેટ સમુદ્ર કિનારે કરવાનું પ્લાન કર્યું હતું.

અભિષેકે જણાવ્યું કે જ્યારે તેમણે સમુદ્ર તટ પર ઐશ્વર્યા માટે એક રોમેન્ટિક ડિનર ડેટ પ્લાન કરી હતી, જે તેમના માટે સરપ્રાઈઝ કરતા મુસીબત વધારે બની ગઈ હતી.

જે બાદ ઐશ્વર્યાએ પતિની વાત આગળ વધારતા કહ્યું કે ‘જે લોકો કહે છે કે સમુદ્રના કિનારે કેન્ડલ લાઈડ ડિનર દુનિયાની સૌથી રોમેન્ટિક વસ્તુઓમાંથી એક છે. અમે કહેવા માંગીશું કે આ વાત પર વિશ્વાસ ન કરતા. સૌથી પહેલા તો હવાથી મીણબત્તી બુઝાઈ જશે અને બીજું એ કે તમારા ભોજનમાં એટલી રેતી આવી જશે કે તમારા મૂડને ખરાબ કરી દેશે.’

ઐશ્વર્યા અને અભિષેક તેમની આ વર્ષગાંઠની ડેટને ક્યારેય નહીં ભૂલી શકે. એક્ટ્રેસે કહ્યું કે એ દિવસે તેનો મૂડ ખરાબ થઈ ગયો હતો અને તેને અભિષેક પર ખૂબ જ ગુસ્સો આવ્યો હતો.

જણાવી દઈએ કે ઐશ્વર્યા અને અભિષેકના લગ્નને 13 વર્ષ થઈ ગયા છે. તેમણે 20 એપ્રિલ, 2007ના દિવસે લગ્ન કર્યા હતા. લગ્ન સમયે ઐશ્વર્યા 33 વર્ષની હતી અને અભિષેક 31 વર્ષના. બંને વચ્ચે 2 વર્ષનો ફેર છે. ઐશ્વર્યા અભિષેક કરતા મોટી છે.

જો કે તેમના લગ્ન અને પ્રેમ વચ્ચે તેમની ઉંમર ક્યારેય નથી આવી. આજે તેમની 8 વર્ષની દીકરી આરાધ્યા છે.

એક ઈન્ટરવ્યૂમાં અભિષેકે જણાવ્યું હતું કે ટોરેન્ટોમાં 2007માં થયેલા ગુરુના પ્રીમિયર બાદ, હોટેલની બાલ્કનીમાં તેણે ઐશ્વર્યાને પ્રપોઝ કર્યું હતું. અભિષેકે જણાવ્યું હતું કે, ઐશ્વર્યાના પ્રપોઝ કરતી વખતે તેઓ ખૂબ જ નર્વસ હતા, પરંતુ હિંમત કરીને તેને દિલની વાત જણાવી દીધી. અને એક્ટ્રેસે હા પાડવામાં એક ક્ષણ પણ નહોતી લગાડી.

એક ઈન્ટરવ્યૂમાં અભિષેકે જણાવ્યું હતું કે ટોરેન્ટોમાં 2007માં થયેલા ગુરુના પ્રીમિયર બાદ, હોટેલની બાલ્કનીમાં તેણે ઐશ્વર્યાને પ્રપોઝ કર્યું હતું. અભિષેકે જણાવ્યું હતું કે, ઐશ્વર્યાના પ્રપોઝ કરતી વખતે તેઓ ખૂબ જ નર્વસ હતા, પરંતુ હિંમત કરીને તેને દિલની વાત જણાવી દીધી. અને એક્ટ્રેસે હા પાડવામાં એક ક્ષણ પણ નહોતી લગાડી.

You cannot copy content of this page