Only Gujarat

Gujarat

ગુજરાતી કપલ હનીમૂન પર આબું ગયું, પત્નીના મોઢામાં પાંદડા ઠોસ્યા પછી ગળું…

એક ખૂબ જ ધૃણાસ્પદ અને શોકિંગ બનાવ સામે આવ્યો છે. ગુજરાતી કપલ લગ્ન કર્યાના 28 દિવસ બાદ હનીમૂન મનાવવા માઉન્ટ આબુ ગયું હતું. જ્યાં પતિએ પત્નીને ધ્રુજાવી દેતું મોત આપ્યું હતું. પતિએ પત્નીના મોઢામાં ઝાડના પાંદડા ઠોસી દીધા અને નાની ડાળીથી ગળું દબાવી દીધું હતું. પતિએ આ હત્યા છૂપાવવા પત્નીનું બીમારીથી મોત થયાનું નાટક રચ્યુ હતું. જોકે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવતાં જ પતિની પોલ ખૂલી ગઈ હતી.

વલસાડ જિલ્લાના ઉમરગામના ખત્તલવાડામાં રહેતાં 32 વર્ષીય જોલી પટેલે એક મહિના પહેલાં 28 વર્ષીય રુચિકા નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ યુવક જોલી પટેલે પોતાની પત્ની રુચિકા, બેન-બનેવી અને માતા સાથે અંબાજી દર્શને ગયા બાદ ત્યાંથી માઉન્ટ આબુની ગુજરાત તોરણ ભવન હોટેલમાં તેઓ રોકાયા હતા. તારીખ 10 જાન્યુઆરીના રોજ રુચિકાની અચાનક તબિયત ખરાબ થઈ હતી. વોમિટિંગ થતાં તેને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં ડોક્ટરોએ મૃત જાહેર કરી હતી. ડૉક્ટરોએ રૂચિકાના પોસ્ટમોર્ટમ કરી મૃતદહે પરિવારજનોને સોંપ્યો હતો.

જોલી પટેલ 10 જાન્યુઆરીએ રૂચિકાના પરિવારને ફોન ઉપર જણાવ્યું હતું કે, તેની તબિયત અચાનક બગડી ગઇ છે અને બાથરૂમમાં ચક્કર આવવાથી પડી જતા હોસ્પિટલે લઇ જતા તબીબે તેને મૃત જાહેર કર્યો છે. જેથી રૂચિકાના બંને ભાઇ અને પિતા ત્યાં દોડી ગયા હતા.

આ ઘટનાના એક મહિના બાદ રૂચિકાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો હતો. જેને જોતા પોલીસની આંખો પહોળી થઈ ગઈ હતી. રિપોર્ટમાં સામે આવ્યું હતું કે રુચિકાના બધા ઓર્ગન બરોબર હતા અને મહિલાની નાની ડાળખીથી ગળું દબાવીને હત્યા કરવામાં આવી છે. રુચિકાના મોઢાથી લઈને ગળા સુધી ઝાડના એક મુઠ્ઠી પાંદડા ભર્યા હતા, જેથી તે શ્વાસ ન લઈ શકે. રુચિકાનું પહેલા ઝાડની ડાળીથી ગળું દબાવવામાં આવ્યું હતું. ત્યાર પછી કોઈ વજનદાર તકિયા જેવી વસ્તુથી તેનું મોંઢુ દબાવવામાં આવ્યું હતું, ત્યાર પછી હાથથી પણ ગળું દબાવ્યું હતું.

28 દિવસ પહેલાં કર્યા હતા લગ્ન
બીજી તરફ રુચિકાના પિતા હરીશભાઈએ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ ગયા ગુરુવારે માઉન્ટ આબુ પોલીસ સ્ટેશનમાં જોલી પટેલ સામે હત્યાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે જણાવ્યું હતું કે જોલી અને રુચિકાના લગ્ન 13 ડિસેમ્બર, 2021ના રોજ થયા તા. લગ્ન બાદ કપલ વલસાડથી માઉન્ટ આબુ ફરવા ગયું હતું. અંબાજી દર્શન કર્યા બાદ 7 જાન્યુઆરીના રોજ હોટલમાં રોકાયું હતું. ત્યાર બાદ 9 જાન્યુઆરીના રોજ જોલીએ રુચિકાનું અચાનક તબિયત ખરાબ થવાથી હોસ્પિટલમાં મોત થયાનું પરિવારને જાણ કરી હતી. જોકે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી જતાં જોલીની પોલ ખૂલી ગઈ હતી. હજી હત્યાનું કારણ જાણી શકાયું નથી.

લગ્નના 13 દિ’ પહેલા રૂચિકાએ જોબ છોડી હતી
જોલીએ રૂચિકાની હત્યા કેમ કરી તે કારણ ખબર નથી પડતી. હત્યા પાછળનું કારણ જાણવા પરિવાર જનો માગ કરી રહ્યા છે. કોઇ પણ તકલીફ હોય તો જોલીએ અમને જાણ કરવાની જરૂર હતી. તેઓ અંબાજી ફરવા માટે પ્લાન વગર અચાનક નીકળી ગયા હતા. ત્યારે છેલ્લી વાર બેન સાથે વાત થઇ હતી કે તેઓ અંબાજી દર્શન જવા માટે નીકળી રહ્યા છે. બીજી તરફ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રૂચિકાએ લગ્નના 13 દિવસ પહેલા નોકરી છોડી હતી. લગ્નના કારણે નોકરી છોડ્યા બાદ તેમને મોત મળ્યું હતું.

બીજીત રફ રૂચિકાના પતિ જોલીએ મીડિયાને જણાવ્યું હતું કે, હોટેલમાં સવારે 8.30થી 9 વચ્ચે અચાનક રૂચિકાની તબિયત બગડતા તેના હાથ-પગમાં અમે બામથી માલિસ કરવાનું શરૂ કર્યું હતું. તબીબે તેને મૃત જાહેર કરતા તેેની જાણ મેં પરિજનોને કરી હતી. પીએમની જીદ મારી હતી. પંચ કેસ વખતે રૂચિકાના શરીર પર કોઇ નિશાન ન હતા. જેથી પીએમ રિપોર્ટ પર મને શંકા છે.

You cannot copy content of this page