ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લાના હનુમાન મંદિરમાં ગયા મંગળવારે બજરંગ બલીની પ્રતિમાની નજીક બેઠેલો વાંદરો રામાયણના પાના ફેરવતા જોવા મળ્યો. નજારો એવો હતો કે વાંદરો રામાયણનો અભ્યાસ કરી રહ્યો છે. લોકોએ તેને આસ્થા સાથે જોડીને પૂજા-દર્શન કર્યા.
વાંદરો હનુમાનજીની પ્રતિમા પાસે પહોંચ્યો
કુંડા કોતવાલીના સુભાષનગર વિસ્તારમાં હનુમાન મંદિર છે. જ્યાં દર મંગળવારે સુંદરકાંડનો પાઠ કરવામાં આવે છે. મંગળવારે સાંજે હનુમાન મંદિરનું સંગીત વાચન ચાલી રહ્યું હતું. સાંજે 7 વાગ્યાની આસપાસ એક વાંદરો મંદિર પરિસરમાં આવ્યો. તે હનુમાનની પ્રતિમા પાસે પહોંચ્યો. જ્યાં રામાયણનું પુસ્તક રાખવામાં આવ્યું હતું.
વાંદરાએ રામાયણ ઉપાડ્યું અને પાના ફેરવવાનું શરૂ કર્યું. બીજી બાજુ, લોકો વાંચવામાં વ્યસ્ત હતા. પરંતુ, કોઈએ આ ઘટનાનો વિડિયો બનાવી લીધો. વાંદરો લગભગ 15 મિનિટ સુધી રામાયણના પાના ફેરવતો રહ્યો.
લોકો ચમત્કાર માને છે, વીડિયો વાયરલ
આ દ્રશ્ય જોઈને જ મંદિરમાં પાઠ કરી રહેલાં હનુમાન ભક્તોએ તેને વિશ્વાસ સાથે જોડીને જોવાની શરૂઆત કરી. જોત-જોતામાં આખા ગામમાં ભીડ એકઠી થઈ ગઈ. બધા ગામલોકો વાંદરાને હનુમાનરૂપ માનીને દર્શન અને પૂજન કરવા લાગ્યા.
20 મિનિટ પછી વાંદરો મંદિર સંકુલમાંથી નીકળી ગયો. સુભાષ નગરનો રહેવાસી વિવેક તેને ભગવાનનો ચમત્કાર માને છે. લોકો આ ઘટનાના વાયરલ વીડિયોને પણ પસંદ કરી રહ્યા છે.