જૂનાગઢઃ સાવરકુંડલાથી નીકળેલી 50 જેટલા મુસાફરો ભરેલી એક ખાનગી ટ્રાવેલ્સની મિની બસ જૂનાગઢ જઈ રહી હતી ત્યારે બપોરે વિસાવદરના લાલપુર પાસેના શીતાવળ નજીક બસ પલટી મારતાં આ ગંભીર અકસ્મતા સર્જાયો હતો. અકસ્માત થતાં જ મુસાફરોએ બચાવો બચાવોની બૂમાબૂમ કરી હતી. અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોનાં ટોળાં દોડી આવ્યાં હતાં.
જેમાં અન્ય બસના ચાલક સહિત ચારના સ્થળ ઉપર અને બે મહિલા મુસાફરોના સારવાર દરમિયાન મોત નિપજ્યાં હતા. જ્યારે બે બાળકો સહિત 21 મુસાફરોને ગંભીર ઈજાઓ થતાં તમામને સારવાર અર્થે જૂનાગઢ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.
સમગ્ર ઘટના અંગે મુસાફરોના કહેવા પ્રમાણે, જૂનાગઢ સૂર્યદીપ ટ્રાવેલ્સની મિની બસ નંબર જીજે.11.એક્સ 0723 નંબરની બપોરે સાવરકુંડલાથી આ બસ લઈને જૂનાગઢ જઈ રહી હતી ત્યારે બસમાં ખીચોખીચ 50 જેટલા મુસાફરો સવાર હતા. પુરપાટ ઝડપે ચાલતી બસ વિસાવદરના લાલપુર વેકરીયા ગામની વચ્ચે પુલ પાસે એકાએક પલટી મારી જતાં બસનો ઉપરનો અડધો ભાગનો ફૂરચો ઉડી ગયો હતો.
આ અકસ્માતના પગલે રોડ ઉપરથી પસાર થતાં વાહન ચાલકો અને આસપાસના ગામના લોકો દોડી ઘટનાસ્થળે દોડી આવ્યા હતાં. તેમણે ઈજાગ્રસ્ત મુસાફરોને બસના કાટમાળમાંથી બહાર કાઢ્યા હતાં. અકસ્માત બાદ પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
અકસ્માત એટલો ગંભીર હતો કે, બસની ઉપરનો ભાગનો ફૂરચે ફૂરચા ઉડી ગયા હતાં. અકસ્માત સર્જીને બસનો ચાલક ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો અને સ્થળ પર અન્ય બસના ચાલક સલીમ સહિતના ચારના મોત નિપજ્યાં હતાં. જૂનાગઢ સારવારમાં ખસેડેલ બે મહિલાના મોત થયા હતા.